ગુજરાતમાં AAPને મળી રહ્યુ છે ભારે સમર્થન, ભાજપની ચિંતા વધી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે ગુજરાતના લોકોએ કોઈ વિકલ્પની કમીના કારણે ભાજપને 27 વર્ષનો સમય આપ્યો પરંતુ હવે રાજ્યમાં પરિવર્તનની હવા ચાલી રહી છે.
વલસાડઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે ગુજરાતના લોકોએ કોઈ વિકલ્પની કમીના કારણે ભાજપને 27 વર્ષનો સમય આપ્યો પરંતુ હવે રાજ્યમાં પરિવર્તનની હવા ચાલી રહી છે. અહીં વિશાળ રેલીને સંબોધિત કરીને મુખ્યમંત્રીએ કહ્યુ કે છેલ્લા 27 વર્ષોમાં ગુજરાત વિકાસથી પછાત છે. તેમણે અફસોસ વ્યક્ત કરીને કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે 2.50 લાખ કરોડ રુપિયાના બજેટવાળા રાજ્ય ઉપર 3.50 લાખ કરોડ રુપિયાનુ દેવુ છે. ભગવંત માને કહ્યુ કે ગુજરાતના લોકો સૂવા દરમિયાન પણ ટેક્સ ભરી રહ્યા છે જ્યારે ભાજપના દોસ્ત આ પૈસાને લૂંટી રહ્યા છે.

પંજાબના મુખ્યમંત્રી માને કહ્યુ કે ગુજરાત 'આપ'ને ભારે બહુમત આપીને પંજાબ અને દિલ્લીનો રેકૉર્ડ તોડશે. તેમણે કહ્યુ કે લોકો ગુજરાતમાંથી ભાજપને બહારનો રસ્તો બતાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવંત માને કહ્યુ કે ડિસેમ્બરમાં 'આપ' રાજ્યમાં લોક-હિતેષી સરકાર બનાવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ભલે 'સારા દિવસો' હજુ પણ એક સપનુ હોય પરંતુ ગુજરાતમાં આપની ઈમાનદાર સરકાર બન્યા પછી 'સાચા દિવસો' આવશે. તેમણે કહ્યુ કે ગુજરાતમાં મતદાન પછી વિકાસમુખી સરકાર આવશે. ભગવંત માને કહ્યુ કે આ સરકાર રાજ્યના બધા સ્વાતંત્ર્ય સેનાનીઓની ઈચ્છાઓ પર ખરી ઉતરશે. ભાજપ નેતાઓને આડે હાથ લઈને મુખ્યમંત્રી માને કહ્યુ કે આ લોકોને સુવિધાઓ આપવાનો વિરોધ કરતા આવ્યા છે, જયારે તેમણે પોતાના દોસ્તોને બંને હાથે ખજાનો લૂંટાવ્યો છે. તેમણે કહ્યુ કે આ નેતાઓ અને તેમના દરબારીઓએ જનતાના પૈસાના બેરહેમીથી લૂંટ્યા છે.
ભગવંત માને કહ્યુ કે નવાઈની વાત એ છે કે આ નેતા 'આપ'ની લોક-હિતેષી પહેલોનો વિરોધ કરે છે. કોંગ્રેસને ભાજપની 'બી' ટીમ ગણાવીને મુખ્યમંત્રીએ કહ્યુ કે ભગવા પાર્ટીએ ઘણા રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા છે. તેમણે કહ્યુ કે આ લોકતંત્રની હત્યા છે પરંતુ કોંગ્રેસી નેતાઓએ આ બાબતે કોઈ પણ આધારે વિરોધ ના કર્યો. ભગવંત માને કહ્યુ કે એ દિવસ દૂર નથી જ્યારે કોંગ્રેસ દેશભરમાં 'વેચવાલાયક ધારાસભ્ય'ની તખ્તી સાથે કાર્યાલય ખોલશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે દૂર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ અને ભાજપે લોકતાંત્રિક નૈતિક-મૂલ્યોની મજાક ઉડાવવા માટે એકબીજા સાથે હાથ મિલાવ્યો છે. તેમણે કહ્યુ કે આ નેતાઓએ દેશના પૈસા અંગ્રેજો કરતા વધુ બેરહેમીથી લૂંટ્યા છે. ભગવંત માને સ્પષ્ટ કહ્યુ કે લોકતંત્રમાં લોકો સર્વોચ્ચ છે અને તે આને સહન નહિ કરે.
પંજાબમાં રાજ્ય સરકારની ઘણી જન-હિતૈષી પહેલનો હવાલો આપીને મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે એક ધારાસભ્ય, એક પેન્શન બિલ પાસ કર્યુ છે, જેમાં દરેક ધારાસભ્યને માત્ર એક જ પેન્શનની જોગવાઈ છે. જ્યારે પહેલા દર વખતે સમય-સીમા માટે એકથી વધુ પેન્શન મળતી હતી. તેમણે કહ્યુ કે આ રીતે રાજ્ય સરકારે 17000થી વધુ સરકારી નોકરીઓ માત્ર મેરિટના આધારે નવયુવાનોને આપી છે. ભગવંત માને કહ્યુ કે રાજ્યમાં કોન્ટ્રાક્ટના આધારે રાખેલા 36,000 કર્મચારીઓને રેગ્યુલર કરવાની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે અને હાલમાં રાજ્ય સરકારે 9000 કર્મચારીઓની સેવાઓ રેગ્યુલર કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે.
મુખ્યમંત્રીએ આગળ કહ્યુ કે લોકોને માનક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પંજાબમાં 100 આમ આદમી ક્લિનિક ખોલવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે આ રીતે સ્કૂલોના ઉચ્ચ વર્ગના માનક સ્કૂલોમાં બદલવામાં આવી રહ્યા છે. ભગવંત માને એ પણ કહ્યુ કે પંજાબના દરેક ઘરને 600 યુનિટ વિજળી મફત આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ગુજરાતમાં રેલીઓમાં ભેગી થઈ રહેલી ભારે ભીડ એ વાતનુ પ્રમાણ છે કે અહીં 'આપ'ની સરકાર બનશે. તેમણે કહ્યુ કે રાજ્યમાં પાર્ટીને મળેલ ભારે સમર્થનથી ભાજપ ચિંતિત છે. ભગવંત માને લોકોને એક ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતનુ સર્જન કરવા માટે 'આપ'ને મત આપવાની અપીલ કરી.












Click it and Unblock the Notifications
