ગુજરાતમાં AAPનું ખાતું ખુલ્યું, માયાવતીની પાર્ટીએ પણ કરી જબરદસ્ત એન્ટ્રી
ગુજરાતમાં AAPનું ખાતું ખુલ્યું, માયાવતીની પાર્ટીએ પણ કરી જબરદસ્ત એન્ટ્રી
ગુજરાતના છ મહાનગરપાલિકાની થયેલ ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યાં છે. સત્તારૂઢ ભાજપ, મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ, એનસીપી અને બીએસપી ઉપરાંત અહીં આ વખતે નવી પાર્ટીઓ પણ ચૂંટણી લડવા પહોંચી. જેમાં અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન અને કેજરીવાલની આમ આદમી પાર્ટી સામેલ છે. અહીં પહેલી જ વખતે આ બંને પાર્ટીએ જોરદાર તાકાત દેખાડી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સુરત નગર નિગમમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આમ આદમી પાર્ટીને અહીં વોર્ડ નંબર 16ની ચારેય સીટ અને વોર્ડ નંબર 4ની ચારેય સીટ પર જીત મળી છે.
બસપાની પણ જબરદસ્ત એન્ટ્રી
આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પાર્ટીઓ ઉપરાંત ગુજરાતમાં માયાવતીની આગેવાની વાળી બસપાનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે. બસપાએ જામનગરના વોર્ડ નંબર 6માં જીત હાંસલ કરી છે. બસપાના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. જો કે હજી ઘણી સીટના ચૂંટણી પરિણામ આવવા બાકી છે. રાજ્યભરમાં કુલ 275 ઉમેદવારોની હાર-જીતનો ફેસલો થવાનો છે. આ બધા ઉમેદવાર છ નગર નિગમોની સીટ માટે ઉભા છે.
આજે 23 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યેથી જ રાજકીય દળોના સમર્થકોમાં ચૂંટણી પરિણામને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે. શરૂઆતી ટ્રેન્ડથી જ ભાજપ તમામ 6 મહાનગરપાલિકામાં આગળ ચાલી રહી છે. અત્યાર સુધી અહીં ભાજપ જ જીતતું આવ્યું છે. આ ચૂંટણી અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશનની થઈ છે.
વડોદરા નગર નિગમ ચૂંટણીઃ ભાજપ 49 બેઠક સાથે આગળ, કોંગ્રેસને 7 મળી