પાટણમાં રાધનપુર હાઈવે પર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત
રાધનપુર હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ટ્રક અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. રાધનપુર વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા નજીક જીપ ટ્રકમાં ઘૂસી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી છે.

બનાવની વિગત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર મોટી પીપળી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનુ ટાયર અચાનક ફાટી જતા તે રોડ પર ઉભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જીપમાં 12થી વધુ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના મોત નીપજ્યા હતા. નવ લોકો ઘાયલ થયા હતા. જેમને રાધનપુરની રેફરલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાને પગલે સ્થાનિકોએ ઘાયલોની મદદ કરી હતી અને પોલીસ તંત્રને જાણ કરી હતી. જો કે, લોકોમાં રોષ જોવા મળ્યો છે અને પોલીસ તથા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રષ્યો પણ સર્જાયા હતા. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
