અડાલજ નર્મદા કેનાલ હત્યા કેસના આરોપીનું એન્કાઉન્ટર, ઘટના સ્થળે જ મોત
ગાંધીનગર નજીક અડાલજ કેનાલ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લૂંટ અને હત્યાના કેસના આરોપીને પોલીસ સાથેની અથડામણમાં ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે.
આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ આરોપીને ગુનાના સ્થળનું રી-કન્સ્ટ્રક્શન કરાવવા માટે લઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ આરોપીને હત્યાના સ્થળે તપાસના ભાગરૂપે લઈ ગઈ હતી. આ દરમિયાન, આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન અટકતાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું.
પોલીસની ગોળી વાગવાથી આરોપી વિપુલનું સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા એન્કાઉન્ટર ગણાવવામાં આવી રહી છે.
મૃતક આરોપી વિપુલનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. પોલીસ સૂત્રો અનુસાર, તેના પર અગાઉ ૧૫થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે યુગલોને મોડી રાત્રે હેરાન કરતો અને તેમની સાથે દાદાગીરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં તેણે આ જ વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરી હતી, જેના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અડાલજ કેનાલ સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
