રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો:મંત્રી ઋષિકેશભાઈ પટેલ
મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા એકશન પ્લાન સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો છે. રાજયની વિવિધ વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાના પરિણામે આ કામગીરી શકય બની છે.

તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત માળખાને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. જેમાં DGVCL હેઠળ કુલ 208 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 43 ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. એજ રીતે MGVCL હેઠળ કુલ 1048 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 73 ટીમો પહેલેથી જ ઉપલબ્ધ હતી અને વધારાની 6 ટીમો DGCVLમાંથી તથા 5 ટીમો UGVCLમાંથી તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો.
આ ઉપરાંત UGVCL અને PGVCL હેઠળ પર્યાપ્ત મટીરીયલ્સ, મેનપાવર, વાહનોના આગોતરા આયોજનના કારણે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરી માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. આ વર્ષે ત્રાટકેલા ભારે વરસાદ સહિત ચક્રવાતી પવનથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું અને રાજ્યના ઘણા ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં વીજલાઈનો અને ટ્રાન્સફોર્મરોને મોટાપાયે નુકસાન થયું હતું. UGVCLના બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, PGVCLના ભાવનગર, કચ્છ, MGVCLના આણંદ, છોટાઉદેપુર અને DGVCLના તાપી, ભરૂચના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
વીજ વિતરણ માળખાને થયેલ નુકસાનની વિગતો જોઈએ તો 12776 થાંભલા, 1233.5 કિમીની HT લાઈન, 1279.8 કિમીની LT લાઈન, 371 ટ્રાન્ફોર્મરને નુકસાન થયું હતું. આના કારણે કુલ 18,225 ગામોમાંથી 4,215 ગામોના વીજ પુરવઠાને ગંભીર અસર થઈ હતી.
હાલના હયાત ભાવો મુજબ અંદાજે રૂ. 20.95 કરોડનું નુકસાન આંકવામાં આવ્યું છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
