અહેમદ પટેલની વતન પિરામણમાં કરાઈ દફન વિધિ, હજારોની સંખ્યામાં લોકો હાજર
રાહુલ ગાંધીની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા છે.
ભરૂચઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની આજે ગુજરાતના ભરૂચ જિલ્લા સ્થિત તેમના પૈતૃક ગામ(પીરામણ)માં દફન કરવામાં આવી. તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમને દફનાવવામાં આવ્યા. જનાજાની નમાઝ બાદ તેમની દફનવિધિ કરવામાં આવી. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. તેમની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા. તેમની હાજરીમાં સેંકડો લોકોની ભીડ સાથે પટેલના શબને કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવ્યો. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યુ કે પટેલના સુપુર્દ-એ-ખાકમાં ઘણા રાજ્યોના કોંગ્રેસ કાર્યકર્તા શામેલ થવા આવ્યા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનુ નિધન થતાં તેમના પાર્થિવ દેહને ખાસ ચાર્ટર પ્લેન દ્વારા વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં રાતે રાખવામાં આવ્યો હતો. જ્યાંથી અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના વતન પિરામણ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પીરામણ ગામ પહોંચ્યા. જેમની સાથે સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ માટે પુષ્પગુચ્છ મોકલ્યા.

આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજનેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા. વળી, શંકરસિંહ વાઘેલા, અર્જૂન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહેલ અને જયંતિ બૉસ્કી પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા. કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી કે.શિવકુમાર કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિત ટોચના નેતા પિરામણ ગામમાં પહોંચ્યા.

નમાઝ બાદ ભરૂચના પીરામણ ખાતે સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવશે. જો કે કોરોનાની ગાઈડલાઈન મુજબ કબ્રસ્તાનમાં 50 લોકોને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ અંકલેશ્વરના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલની ઈચ્છા હતી કે તેમની દફનવિધિ તેમના માતાપિતાની કબરની બાજુમાં કરવામાં આવે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
