અહેમદ પટેલની વતન પિરામણમાં કરાઈ દફન વિધિ, હજારોની સંખ્યામાં લોકો હાજર
રાહુલ ગાંધીની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા છે.
ભરૂચઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની આજે ગુજરાતના ભરૂચ જિલ્લા સ્થિત તેમના પૈતૃક ગામ(પીરામણ)માં દફન કરવામાં આવી. તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમને દફનાવવામાં આવ્યા. જનાજાની નમાઝ બાદ તેમની દફનવિધિ કરવામાં આવી. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. તેમની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા. તેમની હાજરીમાં સેંકડો લોકોની ભીડ સાથે પટેલના શબને કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવ્યો. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યુ કે પટેલના સુપુર્દ-એ-ખાકમાં ઘણા રાજ્યોના કોંગ્રેસ કાર્યકર્તા શામેલ થવા આવ્યા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનુ નિધન થતાં તેમના પાર્થિવ દેહને ખાસ ચાર્ટર પ્લેન દ્વારા વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં રાતે રાખવામાં આવ્યો હતો. જ્યાંથી અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના વતન પિરામણ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પીરામણ ગામ પહોંચ્યા. જેમની સાથે સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ માટે પુષ્પગુચ્છ મોકલ્યા.

આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજનેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા. વળી, શંકરસિંહ વાઘેલા, અર્જૂન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહેલ અને જયંતિ બૉસ્કી પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા. કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી કે.શિવકુમાર કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિત ટોચના નેતા પિરામણ ગામમાં પહોંચ્યા.

નમાઝ બાદ ભરૂચના પીરામણ ખાતે સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવશે. જો કે કોરોનાની ગાઈડલાઈન મુજબ કબ્રસ્તાનમાં 50 લોકોને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ અંકલેશ્વરના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલની ઈચ્છા હતી કે તેમની દફનવિધિ તેમના માતાપિતાની કબરની બાજુમાં કરવામાં આવે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
