અમદાવાદ થયું જળબંબાકાર, શાળાઓમાં જાહેર કરાઇ રજા
અમદાવાદમાં ભારે વરસાદ પછી સોમવારે મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી. નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર ભરાયા છે પાણી. જુઓ તસવીરો અહીં.
અમદાવાદમાં રવિવાર રાતથી અવિતર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં ગત થોડાક દિવસથી વરસાદી બેટિંગ સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વળી શનિ અને રવિવારના ભારે વરસાદને જોતા સોમવારે મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી છે. તો સામે પક્ષે વાસણા બેરેજના પણ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.

અને તેની કુલ સપાટી 128.75 ફૂટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભરમાં હાલ અતિવૃષ્ટી થઇ હોવાના કારણે સ્થિતિ વણસી છે. જો કે ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પણ પડ્યા છે. તો બીજી તરફ આજે પહેલા શ્રાવણ માસનો સોમવાર હોવાના કારણે શ્રદ્ધાળુઓને વરસાદના પગલે દર્શનાર્થે જવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નોકરીયાત લોકો પણ ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. વળી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઇ છે.

તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પર પાણી નીકાળવાના અને તૂટેલા રોડને ઠીક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં ભાજપ દ્વારા પણ એક હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમને શરૂ કરવામાં આવ્યો છે. ભાજપાના આ કંટ્રોલરૂમને સંપર્ક કરવા માટે (079) 23276944 નંબર પર કોલ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે મૂશ્કેલી વણસી છે. ચોટિલા જિલ્લામાં અનેક ગામો જળમય થઇ ગયા છે. અને અત્યાર સુધીમાં 7000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાએ પણ આજે ભારે થી અતિ ભારે વરસાદની જાહેરાત કરી છે.













Click it and Unblock the Notifications
