સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ બનાવાશે, જાણો તેમા શું હશે ખાસ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના પ્રવાસનને વેગ આપવા માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર લંડન આઈની તર્જ પર 'અમદાવાદ આઈ' (Amdavad Eye) બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે રિવરફ્રન્ટની રોનકમાં નવો ચારચાંદ લગાવશે.

સિંગાપોર ફ્લાયર અને લંડન આઈ જેવા આંતરરાષ્ટ્રીય લેવલના આ ઓબ્ઝર્વેશન વ્હીલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદીઓને મનોરંજન માટે નવું નજરાણું મળી રહે અને શહેરમાં પ્રવાસન વધે તેવા મુખ્ય હેતુ સાથે રિવરફ્રન્ટ પર આ ખાસ પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે.
આ નવું આકર્ષણ કાંકરિયા લેકફ્રન્ટ, અટલ બ્રિજ અને શહેરના અન્ય હેરિટેજ સ્થળોની યાદીમાં સામેલ થશે, જેનાથી રિવરફ્રન્ટની ભવ્યતામાં મોટો વધારો જોવા મળશે.
રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં હાલમાં કાર્યરત ગ્લો ગાર્ડનને મળેલી સફળતા બાદ, હવે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ બે નવા ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે.
નવા ગ્લો ગાર્ડન માટે બજેટમાં 20 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે, જેમાં અદ્યતન LED લાઇટિંગ, પ્રાણીઓના આકારો અને સેલ્ફી પોઈન્ટ્સ જેવા અનેક આકર્ષણો હશે.
AMC દ્વારા રજૂ કરવામાં આવેલા કુલ 18,518 કરોડના બજેટમાં 11,082 કરોડ રૂપિયા માત્ર વિકાસલક્ષી કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
