અમદાવાદમાં મંદિર માટે પાટીદારોએ ત્રણ કલાકમાં દાન કર્યા 150 કરોડ
ગુજરાતમાં પાટીદારોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (વીયુએફ) એ રવિવારે અમદાવાદમાં મંદિર બનાવવા માટે ત્રણ કલાકમાં 150 કરોડનું દાન ભેગુ કરી દીધુ.
ગુજરાતમાં પાટીદારોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (વીયુએફ) એ રવિવારે અમદાવાદમાં મંદિર બનાવવા માટે ત્રણ કલાકમાં 150 કરોડનું દાન ભેગુ કરી દીધુ. રવિવારે પાટીદાર સમાજના લોકોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બેઠક બોલાવી હતી. બેઠકમાં અમદાવાદમાં 40 એકરમાં બનનાર ઉમિયામાતાનું મંદિર અને કમ્યુનિટી કોમ્પ્લેક્સ માટે દાન આપવાની વાત કહેવામાં આવી ત્યારબાદ ત્રણ કલાકમાં 150 કરોડ રૂપિયા દાન આવ્યુ.

અમદાવાદમાં આ મંદિર 1000 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂરો થવાનો છે. અહીં ઉમિયા માતાનું મંદિર, હોસ્પિટલ, રમતગમત કોમ્પ્લેક્સ, કોલેજ અને હોસ્ટેલ બનાવવામાં આવશે. અમેરિકામાં રહેતા વેપારી અને આ પ્રોજેક્ટના કોર્ડિનેટર સી કે પટેલે જણાવ્યુ કે ઉમિયા ફાઉન્ડેશે 100 કરોડ રૂપિયા ભેગા કરવાની અપીલ કરી હતી પરંતુ ત્રણ જ કલાકમાં 150 કરોડ રૂપિયાનું દાન મળ્યુ.
સી કે પટેલે જણાવ્યુ કે કેટલાક વર્ષો પહેલા મહેસાણાથી મુંબઈ આવેલા એક પટેલ પરિવારે 52 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. 51 કરોડ આપનારા મંગલ પટેલ અને નારણ પટેલ મુંબઈમાં પ્રોપર્ટીનો બિઝનેસ કરે છે. પરિવારનું કહેવુ છે કે તેમણે ઉમિયા માતાના મંદિર માટે સાત વર્ષ પહેલા ગોરેગાંવમાં પણ જમીન દાનમાં આપી હતી.












Click it and Unblock the Notifications
