અમદાવાદમાં રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાશે
અમદાવાદ, 11 જુલાઇ : ભાજપના નેતા અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની હાજરીમાં પાર્ટીના કાર્યકરોને તેમનું અભિવાદન કરવાની તક મળી નથી. આ તક કાર્યકરો આગામી રવિવારે, 13 જુલાઇના રોજ પૂરી કરશે. આ માટેની ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે 13 જુલાઇના રોજ અમદાવાદમાં એસ જી હાઇવે પર આવેલા વાયએમસીએ ક્લબમાં તેમના પુત્ર જય શાહની સગાઇ છે. આ સગાઇ માટે અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા છે.

આ સપ્તાહે બુધવારે તેમને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નામની સત્તાવાર ઘોષણા બાદ અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે કાર્યકરો તેમને મળી શક્યા ન હતા. આથી રવિવારના રોજ તેમના આગમને પગલે એરપોર્ટથી સીજી રોડ નજીક આવેલા તેમના નિવાસ સ્થાન સુધી ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે અમિત શાહ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ તેમનું કદ વધી ગયું છે. આ કારણે તેમના પુત્રની સગાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અગ્રણી નેતાઓ અમદાવાદમાં પધારશે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે











Click it and Unblock the Notifications
