છોટાઉદેપુર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને 85 કરોડની સહાય વિતરણ કરાઇ!
છોટાઉદેપુરમાં એસ.એન. કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ૨૬૯૩૭ જેટલા લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.
છોટાઉદેપુરમાં એસ.એન. કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ૨૬૯૩૭ જેટલા લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત ૩.૦૬ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, ૧૧૨.૫૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને પંચાયતી રાજની આગેકૂચ નામની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લાભાર્થીઓએ ગોધરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને માહિતીસભર દસ્તાવેજી ફિલ્મોનું નિદર્શન પણ કર્યુ હતું.

છોટાઉદેપુરના આ કાર્યક્રમમાં માં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતુ કે, ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત છેવાડાના માણસને હાથો હાથ લાભો આપી શકાય એ માટે કરવામાં આવી હતી. તેમણે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ લઇ જીવન ધોરણ ઉંચું આવે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા લાભાર્થીઓને ઓળખી વિવિધ યોજનાઓના લાભો હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું. વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન વિવિધ યોજનાના ૧૬ વિભાગના ૨૬૯૩૭ લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે એમ જણાવ્યું હતું. તેમણે સરકારની અનેકવિધ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીએ આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન, સાંસદ ગીતાબેન રાઠવા સહિતના અન્ય મહાનુભાવોએ મેઇન સ્ટેજ અને પેટા સ્ટેજ પરથી લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
