અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે
અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે
અમદાવાદઃ માસુમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના બાદ યુપી અને બિહારના લોકો પર હુમલા તેજ થઈ ગયા, જે મામલે પોલીસે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી. હવે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મામલાનો વિરોધ કરવા માટે 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસવાનો નિર્ણય કરી લીધો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે એમની પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુજરાતમાં બીજા રાજ્યોના લોકો સાથે મારપીટ કરવાના ખોટા કેસ નોંધવામાં આવ્યા છે અને જાણી જોઈને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરે માગણી કરી છે કે તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ થયેલા મામલાઓને પરત લાવવામાં આવે.

ઢુંઢેરે રેપ કેસ
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના ઢુંઢેર ગામમાં 14 માસની બાળકી પર કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યો હતો, જેના પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં અમારી 14 મહિનાની બાળકી પર રેપ થયો છે, એમણે કહ્યું કે આ ઘટના પાછળ એક વ્યક્તિ જવાબદાર છે ન કે આખો સમુદાય. કહ્યું કે કેટલીક અપ્રીય ઘટનાઓ બાદ અમારા આખા સમુદાયને ગુંડાઓની જેમ રજૂ કરવામાં આવી રહ્યો છે. મારું માનવું છે કે આ અન્યાય છે, દુર્ભાગ્યની વાત છે કે સારા લોકો સામે ખોટા પેસ દાખલ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

બિન ગુજરાતીઓ પર હુમલા તેજ થયા
જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે, એમણે કહ્યું કે આ લોકો મારપીટની ઘટનામાં સામેલ ન હતા એ જાણવા છતાં પ્રશાસન જાણીજોઈને એમના કાર્યકરોને ફસાવી રહ્યું છે. આરોપ લગાવ્યો કે ભાજપના નેતા અને પાર્ટીના કાર્યકર્તા યુપી-બિહારના લોકો પર નિશાન બનાવી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર કરશે હડતાળ
બાળકી સાથે રેપ થયા બાદ ગુજરાતમાં રહેતા બિન ગુજરાતીઓ પરના હુમલાઓ વધી ગયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે 42 કેસ નોંધ્યા છે અને 342 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બિન ગુજરાતીઓ પરની હિંસાના મામલામાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત 6 જિલ્લા અસરગ્રસ્ત છે. મહેસાણામાંથી 89 જ્યારે સાબરકાંઠામાંથી 95 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 28મી સપ્ટેમ્બરે બાળકી પર દુષ્કર્મ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર બિન ગુજરાતીઓ વિરુદ્ધ નફરતભર્યા સંદેશા વાયરલ થઈ ગયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી









Click it and Unblock the Notifications
