અંબાજી મંદિરમાં ચાલતી રાજાશાહીને હાઈકોર્ટે ફટકાર લગાવી, હવે બદલાઈ જશે ઇતિહાસ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષો જૂની પરંપરામાં મોટો બદલાવ લાવતો હુકમ કર્યો છે, જેને ઇતિહાસનો સૌથી મહત્વનો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી આસો માસની નવરાત્રિની આઠમની વિશેષ પૂજા અને દર્શનનો અધિકાર માત્ર દાંતાના મહારાજા અને તેમના વંશજો પૂરતો સીમિત હતો, જેનાથી સામાન્ય ભક્તો માટે દર્શન મર્યાદિત રહેતા. હવે ગુજરાત હાઈકોર્ટે આ પ્રથા બદલીને ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી તમામ ભક્તોને આઠમની મહાપૂજા અને દર્શનનો લાભ આપ્યો છે.
આ ચુકાદા બાદ દાંતા રાજવી પરિવારે પ્રતિક્રિયા આપી છે. રાજવી પરિવારના રિદ્ધિરાજસિંહે મીડિયાને જણાવ્યું કે, અમે અમારા હક્ક અને પરંપરા માટે આગળ સુધી લડત ચાલુ રાખીશું. જો કે, કોર્ટના હુકમની સત્તાવાર નકલ ન મળે ત્યાં સુધી વિસ્તૃત ટિપ્પણી ટાળી હતી.
હાઈકોર્ટના આદેશનો અમલ કરવા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર તૈયારીઓ કરશે. આ નિર્ણયથી લાખો માઈભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે, કારણ કે હવે તેમને આઠમની પવિત્ર પૂજાના દર્શનનો લ્હાવો મળી શકશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
