અંબાજી મંદિરમાં ચાલતી રાજાશાહીને હાઈકોર્ટે ફટકાર લગાવી, હવે બદલાઈ જશે ઇતિહાસ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષો જૂની પરંપરામાં મોટો બદલાવ લાવતો હુકમ કર્યો છે, જેને ઇતિહાસનો સૌથી મહત્વનો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી આસો માસની નવરાત્રિની આઠમની વિશેષ પૂજા અને દર્શનનો અધિકાર માત્ર દાંતાના મહારાજા અને તેમના વંશજો પૂરતો સીમિત હતો, જેનાથી સામાન્ય ભક્તો માટે દર્શન મર્યાદિત રહેતા. હવે ગુજરાત હાઈકોર્ટે આ પ્રથા બદલીને ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી તમામ ભક્તોને આઠમની મહાપૂજા અને દર્શનનો લાભ આપ્યો છે.
આ ચુકાદા બાદ દાંતા રાજવી પરિવારે પ્રતિક્રિયા આપી છે. રાજવી પરિવારના રિદ્ધિરાજસિંહે મીડિયાને જણાવ્યું કે, અમે અમારા હક્ક અને પરંપરા માટે આગળ સુધી લડત ચાલુ રાખીશું. જો કે, કોર્ટના હુકમની સત્તાવાર નકલ ન મળે ત્યાં સુધી વિસ્તૃત ટિપ્પણી ટાળી હતી.
હાઈકોર્ટના આદેશનો અમલ કરવા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર તૈયારીઓ કરશે. આ નિર્ણયથી લાખો માઈભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે, કારણ કે હવે તેમને આઠમની પવિત્ર પૂજાના દર્શનનો લ્હાવો મળી શકશે.












Click it and Unblock the Notifications
