ઉતરાયણના દિવસે પવન કેવો રહેશે? આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગરસિયાઓમાં પવનની ગતિને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જ્યોતિષીય ગણતરી મુજબ પવન અંગે મહત્વની આગાહી જાહેર કરી છે.
મીડિયા સાથે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉત્તરાયણના દિવસે સવારથી જ પતંગ ચગાવવા માટે સાનુકૂળ પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે. સવારે 9 વાગ્યાથી આશરે 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શરૂઆત થઈ શકે છે.

દિવસ દરમિયાન પવનની ગતિમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જે સરેરાશ 6 થી 7 કિમીની આસપાસ રહેશે. જોકે, રાજ્યના અમુક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 10 થી 12 કિમી સુધી પહોંચી શકે છે.
અમદાવાદ, મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પતંગરસિયાઓને પવન સાથ આપશે તેવી અપેક્ષા છે. પાલનપુર, રાધનપુર અને વિરમગામ જેવા શહેરોમાં પણ પવનની સ્થિતિ પતંગબાજી માટે અનુકૂળ રહેશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય શહેરો કરતા વધુ તેજ રહેવાની શક્યતા છે. ભાવનગર, પોરબંદર અને જામનગરમાં પવનની ગતિ પતંગબાજોને મોજ કરાવી દેશે તેમ મનાય છે.
સુરતમાં પવનની ગતિમાં વિશેષ ફેરફાર જોવા મળી શકે છે, જ્યાં ગતિ 9 થી 26 કિમી સુધી રહેવાની શક્યતા છે. વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીએ પણ પવનની આવનજાવન જળવાઈ રહેશે.
ઠંડીના મોરચે વાત કરીએ તો, 16-17 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુતમ તાપમાનમાં આંશિક વધારો થઈ શકે છે. જેને કારણે કડકડતી ઠંડીમાં થોડી રાહત મળવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
જાન્યુઆરીના અંતમાં એટલે કે 26 થી 29 તારીખ દરમિયાન ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
