ગેહલોતના રાજીનામાના હોબાળા વચ્ચે વિજય રૂપાણીએ કર્યો ધડાકો, કહ્યું '1 ફોન પર...'
કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવાનું કહેતા હોબાળો મચી ગયો છે અને આજે તેઓ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો ખુલાસો કર્યો છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવાનું કહેતા હોબાળો મચી ગયો છે અને આજે તેઓ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, તેમણે ભાજપ હાઈકમાન્ડના કહેવા પર પદ છોડ્યું હતું.

વિજય રૂપાણીએ ફોન પર જ પદ છોડી દીધું
વિજય રૂપાણીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના રાજીનામા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, એક રાત પહેલા બીજેપી હાઈકમાન્ડ તરફથી મેસેજ આવ્યો હતો.

11 સપ્ટેમ્બર, 2021 ના રોજ મુખ્યપ્રધાન પદ છોડ્યું
આ પછી, તેમણે 11 સપ્ટેમ્બર, 2021 નારોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિજય રૂપાણીને પદ છોડવાનું કારણ પણ નહોતું જણાવયું
આ વાતનો ખુલાસો કરતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તેમને પદ છોડવા માટે પાર્ટી દ્વારા કોઈ કારણ આપવામાંઆવ્યું નથી, ન તો તેમણે ભાજપ હાઈકમાન્ડને પદ છોડવાના કારણો વિશે પૂછ્યું હતું.

પક્ષનો શિસ્તબદ્ધ કાર્યકર વિજય રૂપાણી
પોતાને પક્ષનો શિસ્તબદ્ધ કાર્યકર ગણાવતા વિજય રૂપાણીએ કહ્યું કે, પક્ષે જ્યારે પણ તેમને જવાબદારી સોંપી છે, ત્યારે તેમણે તે નિભાવી છે.

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય પરિસ્થિતિ સાથે સરખામણી
વિજય રૂપાણીના ઘટસ્ફોટ બાદ તેની સરખામણી રાજસ્થાનમાં ચાલી રહેલી તાજેતરની ઘટનાઓ સાથે કરવામાં આવી રહી છે, જ્યાં કોંગ્રેસહાઈકમાન્ડે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવા કહ્યું છે.

ધારાસભ્યો અને મંત્રીઓએ બળવાખોર વલણ અપનાવ્યું
જ્યારે કોંગ્રેસે અશોક ગેહલોતને પ્રમોશન આપી પાર્ટીનું ટોચનું પદ આપવાની વાત કરી છે, પરંતુ તેમ છતાં ગેહલોતને સમર્થન આપતા ધારાસભ્યો અને મંત્રીઓએ બળવાખોર વલણ અપનાવ્યું છે.

વિજય રૂપાણીએ 1 વર્ષ છોડી દીધું હતું પહેલા પદ
ઉલ્લેખનીય છે કે, આનંદીબહેન પટેલના રાજીનામા બાદ ઓગસ્ટ 2016માં વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાઅને તેઓ સપ્ટેમ્બર 2021 સુધી આ પદ પર રહ્યા હતા. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની જવાબદારીસોંપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
