અમિત શાહ ગાંધીનગર મતક્ષેત્રના ધારાસબ્યો સાથે કરશે બેઠક, વિકાસના કામોને લઇને કરશે ચર્ચા
અમિત શાહ પોતાના મતક્ષેત્રમાં આવતી 7 વિધાનસભાના ધારાસભ્યો સાથે અમદવાદા ખાતે એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય 156 જેટલી બેઠકો જીત મેળવીને ઐતિહાસક જીત મેળવી છે. જેમા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગુજરાતના સંગઠનથી લઇને નામો પસંદગી સુધીની તમામ પાસોઓ પર ધ્યાન આપ્યુ હતુ. આ સાથે જ ખાસ અમિત શાહ દ્વારા પોતાના લોકસભા બેઠક ગાધીનગરની પણ તમામ 7 બેઠકો પર જીત મેળવીને અમિત શાહે પોતાના મત વિસ્તારમાં તમામ બેટકો કબ્જે કરી લીધી છે.

અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની 7 બેઠકો પર વિજય થયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ બેઠકમાં સાતેય વિધાનસભામાં ચાલી રહેલા વિકાસના કામો, નવા આયોજનો અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા રોડમેપ તૈાયાર થશે એમ માનવામાં આવેછે.
શનિવારે અમદાવાદની શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ ખાતે બેટક બોલવામાં આવી છે જેમા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડીયા બેઠક પણ ગૃહમંત્રી અમિત શાહના સંસદિય મતક્ષેત્ર હેઠળના સાત વિધાનસભા ક્ષેત્ર્ પૈકી એક છે. ઘાટલોડીયા ઉરાંત કલોલ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, સાબરમતી, નારાણપુરા, વેલપુર અને સાણંદ વિધાનસભા પણ અમિત શાહના સંસદીય મતક્ષે્ત્રનો ભાગ છે. પહેલીવાર ગાંધીનગર ઉત્તર અને કલોક બેઠક સહિત સાતેય બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે.
અમિત શાહના મતક્ષેત્રમાં મેટ્રો રેલ, નારાણપુરા અને સાબરમતિમાં મસ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવુ રેલ્વે સ્ટેશન સહિત અનેકવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે એટલુ જ નહી આ બંને મતક્ષેત્રોમાં હાઉસિગ વસાહતોના રિ ડેવલપમેન્ટ સહિતના કેટલાક સ્થાનિક પ્રશ્નોના ઉકેલની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આથી શનિવારેની બેઠકમાં વિકાસના કામો પ્રશ્નોના નિરાકરણની દિશામાં રોડમેપને આકાર અપાશે.












Click it and Unblock the Notifications
