ગાંધીનગર-અમદવાદ ટ્વીટન સીટી માટે ઓથોરિટીની રચના કરવામાં આવશે
અમદાવાદા ગાંધીનગર ટ્વીન સીટીના વિકાસ માટે નવી ઓથોરિટી બનાવામાં આવશે આ અગે આગામી ગુજરાત વિધાનસભાની બજેટ સત્રમાં નિર્ણય કરવામા આશે.
ગુજરાતની પાટનગર ગાંધીનગર અને આર્થીક પાટનગર અમદાવાદના સંયુક્ત વિકાસ કરવા માટે ટ્વીન સીટી પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક સંયુક્ત ઓથોરિટીની રચના કરવા માટે શહેરી વિકાસ વિભાગ, કોર્પોરેશન, ઔડા અને ગુડા દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ટ્વીન સીટી તરીકે વિકાસ કરવા માટે આ પ્રોજેક્ટ બનાવાામં આવ્યો હતો. પરતુ ત્યાર બાદ તેમા કોઇ પ્રગતી જણાતી ન હતા. ત્યાર બાદ કેન્દ્રના આદેશ બાદ એક ઓથોરિટી બનાવીને ટ્વીન સીટી તરીકે તેનો વિકાસ કરવામાં આશે.
આ બંને શહેરોમા કુલ મળીને ગાંધીનગર-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ શેહેરી વિકાસ સત્તામંડળને સમાવેશ થાય છે આ ચાલેય સંસ્થાોને સંમિલિત કરીને નવી ઓથોરિટી બનાવાનો પ્લાન ગુજરાત વિધાનસભાની આગામી સત્રમાં રજુ કરવામાં આવી શકે છે.
બંને શહેરહો માહાનગરો છે. તેથી તેમની પાસે બંને સત્તામંડળ પાસે અલગ અલગ વિકાસ યોજાનાઓ હોવાથી વિસંગતતા જોવા મળી રહી છે. જેમા વસ્તી સંજોગોને ધ્યનામાં લેવામાં આવી રહ્યા છે.
નવી ઓથોરિટી ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેક્ટ બાગ બગીચા, ડેવલપમેન્ટ પ્લાન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તના વિકાસના પ્રોજ્કેટ્સ ભવિષ્યની કલ્પના અનુરૂપ કરવામાં આવશે. તેમજ ટાઉન પ્લાનિગ પણ વસ્તીના આધારે બનાવામાં આવશે.