પદ સંભાળતા જ મુખ્યમંત્રી એક્શનમાં, વરસાદની સમિક્ષા બેઠક યોજી!
ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-2 ડેમની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી. રાજકોટમાં 1155 લોકો, જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર
પટેલે
એનડીઆરએફની
3
ટીમ
રાજકોટ
માટે
અને
2
ટીમ
જામનગર
માટે
ભટિંડાથી
મગાવવાની
વ્યવસ્થા
કરવા
તંત્રવાહકોને
સૂચના
આપી
છે.
ખાસ
કરીને
બચાવ
રાહત
કામગીરીને
પ્રયોરિટી
આપવા
સૂચનાઓ
આપી
હતી.
મુખ્યમંત્રીની
આ
પહેલી
બેઠકમાં
મુખ્ય
સચિવ
પંકજ
કુમાર,
મુખ્યમંત્રીના
મુખ્ય
અગ્ર
સચિવ
કૈલાસ
નાથન,
અધિક
મુખ્ય
સચિવ
એ.
કે.
રાકેશ
તેમજ
મુખ્યમંત્રીના
અધિક
મુખ્ય
સચિવ
એમ.કે
દાસ,
રાહત
કમિશનર
આદ્રા
અગ્રવાલ
તેમજ
મુખ્યમંત્રીના
ઓએસડી
ડી.એચ.શાહ
આ
બેઠકમાં
જોડાયા
હતા.