વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં ભાગ લેશે બાન કી મૂન
ગાંધીનગર, 9 ડિસેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન-2015માં ભાગ લેશે. તે 10 અને 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યની યાત્રા પર જઇ રહ્યાં છે. આ દરમિયાન તે આ સંમેલનમાં ભાગ લેશે.
ગુજરાત સરકારના પ્રવક્તા તથા નાણામંત્રી સૌરભ પટેલે આજે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન-2015માં ભાગ લેશે. તે 10 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે અને 11 જાન્યુઆરીના રોજ સંમેલનાના ઉદઘાટન સમારોહમાં હાજર રહેશે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે બાન કી મૂન સંભવત: અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં પણ જશે. આ ઉપરાંત તે 11 જાન્યુઆરીના કેટલાક અન્ય સ્થળો પર પણ જશે.

તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની આ કોઇ વેપારિક સંમેલનમાં પહેલી યાત્રા હશે. બાન કી મૂન 2012માં ભારત આવ્યા હતા. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં બાન કી મૂન ઉપરાંત ઘણા અન્ય દેશોના પ્રમુખો ભાગ લેશે. રાજ્ય સરકાર 11થી 13 જાન્યુઆરી સુધી વાઇબન્ટ ગુજરાત સંમેલન-2015નું આયોજન કરી રહ્યાં છે. આ સંમેલનનો ઉદ્દેશ્ય રાજ્યમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવાનો છે.












Click it and Unblock the Notifications
