Crime: 100 રૂપિયા માટે જીવ ગુમાવ્યો, ખરાબ આદતોએ જીવ લીધો
જુગાર, દારૂની ખોટી લત મોતના દરવાજા સુધી લઇ ગઇ. બનાસકાંઠાના નાનકડા ગામમાં એક માણસનું ખૂન થઇ ગયું કારણ હતું 100 રૂપિયા!
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકા પાસે આવેલા મલાણા ગામે કંઇક તેવું બન્યું જે જોઇને ખરેખરમાં તે વિચારતું કરી દે છે કે માણસ જીવની કિંમત ખરેખરમાં કોડી સમાન છે? કે પછી ખોટા રવાડે ચઢવાના લીધે માણસ સારા કે ખરાબની સમજ ખોઇ બેસે છે કે શું? આવું જ કંઇક બન્યું મૃતક જયંતિભાઇ સાથે. જુગાર રમવાની એક કુટેવે મૃતક જયંતીભાઈ બોરોટને મોતને ઘાટ ઉતારી દીધા. ખબર મુજબ તેમના જ સાથી મિત્ર દ્વારા ૧૦૦ રૂપિયા ન આપવાના કારણે તેમની કરપીણ હત્યા કરવામાં આવી.

મલાણા ગામની સીમ પાસે થોડા દિવસ અગાઉ એક લાશ આવી જે ગામના યુવક જયંતીભાઈ બારોટની હતી. પાછળથી પોલીસે આ તપાસ કરાવી. પરિવારજનોએ પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું કે જયંતિભાઇને દારૂ અને જુગાર રમવાની ખોટી લત હતી. અને કદાચ આ તકરારે જ તેમનો જીવ લીધો હશે. જે મામલે પોલીસે તપાસ હાથધરી હતી. પણ જ્યારે મૃતકના સાથીઓની પોલીસ દ્વારા ઉલટ તપાસ થઇ તો ચોંકવનારી જાણકારી બહાર આવી. જયંતિભાઇના નાણાં ઉધાર ન આપતા મામલો ઝગડો થતા આ હત્યા થઇ તેમ પોલીસ તપાસમાં બહાર આવ્યું. ભુપુત ભાઈને જયંતિભાઇ ૧૦૦ રૂપિયા ન મળતા, ભુપુતભાઇ દ્વારા જયંતીભાઈની પથ્થરના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જેનું કબૂલાત છેવટે ભુપતભાઇએ પોલીસ સામે કરી હતી.












Click it and Unblock the Notifications
