ઘરનું ઘર મળતાં લાભાર્થીઓએ વર્ણવ્યો આવાસ યોજનાનો સુખદ્ અનુભવ
Pradhan Mantri Awas Yojana: વિકસિત ભારત-વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂપિયા 2993 કરોડના ખર્ચે 131450 થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ 959 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.
આ કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાચીમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના 220, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના 70, આંબેડકર આવાસ યોજનાના 6 આવાસો એમ કુલ 296 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ, કોડિનાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના 100, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના 34, આંબેડકર આવાસ યોજનાના 3 આવાસો એમ કુલ 137 આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

જ્યારે ધારાસભ્ય કે. સી. રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકામાં રાવણાં વાડી, ત્રિકોણબાગ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૨૧૨, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના 36, આંબેડકર આવાસ યોજનાના 10 એમ કુલ 258 આવાસોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.
તે જ રીતે વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના 180, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના 76, આંબેડકર આવાસ યોજનાના 7, પંડિત દિન દયાળ આવાસ યોજનાના 5 એમ કુલ મળી 268 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે 15થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી.
આ તકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આવાસવિહિન લાખો લોકોને પોતાનું ઘર મળે એવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપનું જોયું અને હવે એ સપનું સાકાર થયું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની સહાય, પ્લોટ ફાળવણી, લાભાર્થીના ખાતામાં સીધાં જ રૂપિયા જમા કરવા જેવી તબક્કાવાર સુવિધાઓના ઉપક્રમે છેવાડાના જનજનને લાભ થયો છે. આ તકે કલેક્ટરે તમામ લાભાર્થીઓ નવા આવાસમાં સુખ-સમૃદ્ધિ ભોગવે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભકામના પાઠવી હતી.
અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં લોકકલ્યાણકારી યોજનાઓ અને લોકોપયોગી કાર્યક્રમો પારદર્શક વહીવટના કારણે વર્તમાન સમયમાં દેશના છેવાડાના લોકોના વિકાસની સાથે ભારત આજે વિશ્વગુરુ બનવાની દિશા તરફ અગ્રેસર બન્યો છે.
અગ્રણી ઝવેરીભાઇ ઠકરારે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘરવિહોણા પરીવારોને ઘરનું ઘર મળે અને લોકવિકાસની યોજનાઓથી દેશના લોકોનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યારે પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને અગ્રણી માનસિંહભાઈ પરમારે ગરીબ, વંચિત અને છેવાડાના માણસોને સ્પર્શતી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉજ્જવલા યોજના, વિધવા સહાય યોજના, આયુષ્માન યોજના, પ્રધાનમંત્રી અન્ન યોજના વગેરે કલ્યાણકારી યોજના વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા, અને તમામ યોજનાઓનો નાગરિકો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે એવી અપીલ કરી હતી. આ તકે લાભાર્થીઓ વાજા દેવશીભાઈ, આમહેડા વિનોદભાઈ અને સોલંકી નયનાબહેને આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલઈડી સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ અને મોરબી, વાપી, રાજકોટ સહિતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ તકે, મતદાન અવશ્ય કરવાની અપીલ કરતી અવસર ડોક્યુમેન્ટરી, ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
વેરાવળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ સાંસદ ચુનીભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ બીજનિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શનાબેન ભગલાણી સહિત અધિકારીઓ, અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
