Best Bakery Case: ગુજરાતના બેસ્ટ બેકરી કેસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો, બંને આરોપી હર્ષદ અને મફતને કર્યા મુક્ત
Best Bakery Case: 2002ના ગુજરાત રમખાણો સંબંધિત બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે 13 જૂને પોતાનો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં બેસ્ટ બેકરી કેસમાં આરોપી હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ છોડી મૂક્યા હતા.
તમને જણાવી દઈએ કે આ કેસ 01 માર્ચ 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત છે. અહેવાલો મુજબ તોફાનીઓએ 1 માર્ચ, 2002ની રાત્રે વડોદરા શહેરની બેસ્ટ બેકરીમાં સૌપ્રથમ લૂંટ ચલાવી હતી અને પછી બેકરીને આગ ચાંપી દીધી હતી. આ આગમાં બેકરીની અંદર રહેતા લગભગ 14 લોકો માર્યા ગયા હતા.

આ કેસમાં પોલીસે પ્રત્યક્ષદર્શીઓની ફરિયાદના આધારે 21 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. પરંતુ, ગુજરાત કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે આ કેસ ગુજરાતમાં માત્ર વડોદરાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. બાદમાં આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયો હતો.
જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા 2004માં આ મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલો મહારાષ્ટ્રને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. મહારાષ્ટ્રની સ્પેશિયલ કોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થઈ અને 24 ફેબ્રુઆરી 2006ના રોજ બેસ્ટ બેકરી કેસમાં 9 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા.
જ્યારે આ કેસમાં 8 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. દોષિત તમામ 9 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ આ કેસમાં વર્ષ 2013માં 4 ફરાર આરોપી ઝડપાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેનો કેસ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચારમાંથી બે આરોપીઓ સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
આ કેસના બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલ જેલમાં છે. આ કેસમાં આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટે ગુજરાતની બેસ્ટ બેકરી કેસની સુનાવણી કરતા આરોપી હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ છોડી મૂક્યા હતા.












Click it and Unblock the Notifications
