Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bharat bandh: સંજેલી નગરના બજારો રહ્યા સજ્જડ બંધ

Bharat bandh: અનામત થઈ રહેલી છેડછાડના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત સંજેલી નગરની દુકાનો, બજારો સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

અત્રે નોંધનીય બાબત છે કે, સંજેલીમાં નગરના વેપારીઓએ દુકાનો બંધ રાખી આદિવાસી સમાજના બંધને સમર્થન સાંપડ્યું હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસ.સી.-એસ.ટી. સમાજ દ્વારા 21 ઓગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધમાં સંજેલી નગર પણ જોડાયું હતું.

જેમાં નાના મોટા વેપારીઓ દુકાનો, બજારો રાખ રાખી પોતાનું સમર્થન આદિવાસી સમાજને ખુલ્લો ટેકો જાહેર કરી સમર્થન જાહેર કર્યું હતું. ભારત બંધને પગલે સંજેલી નગરમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.

Bharat bandh

વિગત એવી છે કે, બંધના એક દિવસ પૂર્વ આદિવાસી સમાજ દ્વારા સંજેલી નગરમાં રેલી મારફતે સૌ વેપારીઓને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી હતું.

આ સાથે ભારત બંધમાં જોડાવવા સહકાર આપવા અપીલ કરી હતી. જેને લઈ આજરોજ સંજેલી નગરમાં સજ્જડ બંધ રાખી આદિવાસી, દલિત સમાજને ટેકો જાહેર કરી સમર્થન જાહેર આપ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X