પાટીદાર અનામત અંગે ચર્ચા-વિચારણા બાદ ફરી થશે બેઠક: ગુજ. કોંગ્રેસ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અંગે ફરી એકવાર રાજકારણીય મુદ્દો બની. સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પાસના કોર કમિટિ સભ્યોએ બેઠક. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અંગે ફરી એકવાર રાજકારણીય મુદ્દો બની બેઠે છે. સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પાસના કોર કમિટિ સભ્યોએ બેઠક કરી હતી અને અનામત મુદ્દે ચર્ચા કરી છે. સોમવારે બપોરે રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2.15 કલાકે આ બેઠક થઇ હતી, જે 3 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. એ પછી પત્રકારો સાથે વાત કરતાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતના હિત માટે કામ કરવા માંગતા અને ભાજપના ભ્રષ્ટ શાસનને હટાવવા માંગતા તમામ યુવાનો, આગેવાનો, કાર્યકરોને કોંગ્રેસ આમંત્રિત કરે છે. પાસના આગેવાનો તરફથી કરવામાં આવેલ માંગણીઓ અંગે કોંગ્રેસ હકારાત્મક છે.' આ બેઠકમાં કોંગ્રેસે પાસના નીચેના મુદ્દાઓ મામલે સ્પષ્ટ સંમતિ જાહેર કરી હતી.

પાસની આ માંગણીઓ સ્વીકારાઇ
કોંગ્રેસ સત્તામાં આવતાં પાટીદારો પર ભાજપ દ્વારા કરવામાં આવેલ રાજોદ્રોહ અને દેશદ્રોહ સહિતના તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ પોલીસ દમન, અત્યાચારની તપાસ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવશે તથા દમન માટે જવાબદાર તમામ સામે સખત પગલાં લેવામાં આવશે. પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલ પાટીદાર સમાજના પીડિત પરિવારને 35 લાખ સુધીની આર્થિક સહાય અને પરિવારમાંથી એક વ્યક્તિને શૈક્ષણિક લાયકાત મુજબ સરકારી નોકરી આપવામાં આવશે. કોંગ્રેસ સત્તામાં સવર્ણ આયોગની બંધારણીય દરજ્જા સાથે સ્થાપના કરવામાં આવશે. શિક્ષણ, સ્કિલ ડેવલેપમેન્ટ અને સ્વરોજગાર માટે રૂ.2000 કરોડની જોગવાઇ કરવામાં આવશે.
ફરી થશે બેઠક
પાસ દ્વારા અનામતની જોગવાઇની જે માંગણી કરવામાં આવી છે, એ અંગે કોંગ્રેસે પોતાનું મન ખુલ્લુ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, 'બિન અનામત વર્ગને અનામત માટે સંપૂર્ણ કાયદાકીય ચર્ચા-વિચારણા બાદ ફરી એક વખત બેઠક યોજાશે. કોંગ્રેસ કોઇપણ પ્રકારની લોલીપોપ આપવામાં માનતું નથી, પરંતુ બિન અનામત વર્ગના ગુજરાતના નાગરિકોને શિક્ષણ, રોજગાર આપવા માટે કટિબદ્ધ છે. આથી નિષ્ણાંતોની સલાહ બાદ ફરી એરકવાર બેઠક યોજાશે.'
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
