ભાજપના લોકોએ જ મને હરાવવા મહેનત કરી, તમામના નામ બહાર આવશેઃ ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઇ ગયાં છે, ભાજપને ગુજરાતીઓએ દિલ ખોલીને મત પણ આપ્યા છે. ગુજરાતની 26માંથી 25 લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે, માત્ર બનાસકાંઠા સીટ કોંગ્રેસના હાથમાં ગઇ. પરંતુ પાર્ટીના જ ઉમેદવાર ભાજપના કાર્યકરોથી નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ મનસુખ વાસાવ (Mansukh Vasava)ને ટિકિટ આપી હતી. મનસુખ વાસાવાને 608,157 મત મળ્યા અને તેમની સામે ઈન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા (Chaitarbhai Vasava) ચૂંટણી લડી રહ્યા હતા. જેમને 522,461 મત મળ્યા હતા.
ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 85,696 મતથી ચૂંટણી તો જીતી ગયા છે, પરંતુ તેમણે આજે પાર્ટીના જ કાર્યકરોથી નારાજગી વ્યક્ત કરી છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે, "તેમને પાર્ટીના જ કાર્યકરોએ ટિકિટ ના મળે તે માટે ખૂબ મહેનત કરી હતી અને ટિકિટ મળ્યા પછી પણ મને હરાવવાની કોશિશ કરી હતી. મને હરાવવાની કોશિશ કરનાર પાર્ટીના જ લોકોના નામ બહાર આવશે, અને પાર્ટી હાઈકમાન્ડ સમીક્ષા કર્યા પછી આવા લોકો પર એક્શન લેશે."
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
