26મીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ ભુજ ખાતે 266 કરોડના 19 કામોનું લોકાર્પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કચ્છ જિલ્લાના વિવિધ ૧૯ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત ભુજ બસ પોર્ટ ખાતેથી તારીખ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભુજ ખાતેથી રૂ. ૨૯.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત ભુજ બસપોર્ટ, ગેટકોના કુલ ૦૭ વીજ સબસ્ટેશન અને રામપર બ્રિજનું લોકાર્પણ કરશે.

જ્યારે માર્ગ અને મકાન વિભાગના વિવિધ રોડ રસ્તા, બ્રિજ, રેસ્ટ હાઉસના ૭ કામ, હિલ ગાર્ડન ખાતે સ્પોર્ટસ સેન્ટર, દયાપર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર ઓફિસ, કુરન રિચાર્જ ટેન્ક એમ કુલ ૧૦ કામોનું ઈ-ખાતમુર્હૂત કરશે. આમ, મુખ્યમંત્રી કચ્છની મુલાકાત દરમિયાન નવનિર્મિત ભુજ બસપોર્ટ સહિત રૂ. ૨૬૬ કરોડના કુલ ૧૯ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત ભુજ ખાતેથી કરશે.












Click it and Unblock the Notifications
