Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat News: રાજ્યમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર, અછતવાળા જિલ્લાઓમાં ખાતર મોકલાશે

Fertilizer shortage in Gujarat: ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યમાં ખેતી માટે અત્યંત મહત્ત્વના એવા ખાતરની અછતનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાવો લાવી રહ્યો છે. રાજ્યમાં વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના તાત્કાલિક હસ્તક્ષેપથી હવે ગુજરાતના ખેડૂતો અને સરકાર બંનેને રાહત મળી છે.

Fertilizer shortage in Gujarat

ગુજરાતના ખેડૂતો દ્વારા ખાતરની અછત અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ સંકટને વિપક્ષે સરકારની નિષ્ફળતા ગણાવી હતી અને સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે ગુજરાતને ખાતરનો નવો જથ્થો ફાળવીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

કેન્દ્રનો હસ્તક્ષેપ અને વિતરણ વ્યવસ્થા

કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલો ખાતરનો નવો જથ્થો સૌ પ્રથમ ગુજરાતના એવા જિલ્લાઓમાં મોકલવામાં આવશે જ્યાં અછત સૌથી વધુ છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે જ્યાં ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત છે, ત્યાં તેમને સૌ પ્રથમ ખાતર મળી રહે. આગામી થોડા દિવસો સુધી ગુજરાતને રોજ 8થી 10 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે, જેનાથી રાજ્યભરમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. હાલમાં ગુજરાતના કેન્દ્રો પર 1 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જે વિતરણ માટે તૈયાર છે.

ગુજરાત સરકારની કંટ્રોલ રૂમની પહેલ

ગુજરાત સરકારે આ મુદ્દાને વકરતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો ફોન કરીને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ અંગેની માહિતી મેળવી શકે છે. આ પહેલથી સરકાર ખેડૂતો સુધી સીધી પહોંચી રહી છે અને તેમની સમસ્યાઓનું નિવારણ લાવી રહી છે. આ પગલું માત્ર વહીવટી સરળતા માટે જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ સરકારની સક્રિયતા દર્શાવે છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે 82.35% વિસ્તારમાં જ વાવેતર થયું

ગુજરાતમાં ચાલુ વર્ષે 82.35% વિસ્તારમાં જ વાવેતર થયું છે, ગયા વર્ષે કુલ 73.72 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયુ હતુ અને ચાલુ વર્ષે 70.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, ડાંગરનું 7.17 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર અને બાજરીનું 1.53 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, રાજ્યમાં ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઘટ્યું છે, ગયા વર્ષે 15 હજાર હેક્ટરમાં જુવારનું વાવેતર થયું હતુ, ચાલુ વર્ષે માત્ર 5 હજાર હેક્ટર વિસ્તારમાં જુવારનું વાવેતર થયું છે.

કઠોળનું કુલ વાવેતર 2.96 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે, ગયા વર્ષે કઠોળનું 3.39 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, રાજ્યમાં મગફળીના વાવેતરમા વધારો થયો છે, આ વર્ષે 20.41 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, તેલીબિયાં પાકોના વાવેતરમાં આ વર્ષે વધારો થયો છે, ચાલુ વર્ષે 25.75 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, 20.35 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે, 2 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X