Bilkis Bano Case: દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે બિલકિસ બાનો કેસમાં સુભાષિની અલી અને અન્ય બે લોકોની દોષિતોની મુક્તિ સામેની અરજીઓ પર સુનાવણી કરશે.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટ આજે બિલકિસ બાનો કેસમાં સુભાષિની અલી અને અન્ય બે લોકોની દોષિતોની મુક્તિ સામેની અરજીઓ પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે. આ સાથે ગુજરાત સરકારના આદેશને પણ રજૂ કરવાનો આદેશ આપવામાં આવે, જેના હેઠળ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે બિલકિસ બાનોના ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતો 15 વર્ષથી જેલમાં હતા પરંતુ ગુજરાત સરકારે રાજ્યમાં લાગુ કરાયેલી મુક્તિ નીતિ મુજબ 15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને મુક્ત કર્યા પછી બિલકિસ બાનોએ કહ્યુ, '15મી ઓગસ્ટ 2022ના રોજ જે બન્યુ તેનાથી મને 20 વર્ષ પહેલા થયેલી ઘટનાની યાદ આવી ગઈ. જ્યારથી મે સાંભળ્યું છે કે મારા પરિવાર અને મારા જીવનને બરબાદ કરનારા 11 ગુનેગારોની સજા માફ કરવામાં આવી છે. હું આનાથી ખૂબ જ દુઃખી છુ. તેઓએ મારી ત્રણ વર્ષની પુત્રીને પણ મારી પાસેથી છીનવી લીધી. મારા પરિવારને મારી પાસેથી છીનવી લીધો અને આજે તેમને માફ કરવામાં આવ્યા છે. મને નવાઈ લાગી.'
તમને જણાવી દઈએ કે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં તમામ દોષિતોની સજા પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને આ હુલ્લડો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલુ જ નહિ તોફાનીઓએ બિલકિસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બિલકિસ બાનો કેસ
બિલકિસ બાનોનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં એવુ કહેવામાં આવ્યુ છે કે તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે તેમજ ગુજરાત સરકારના જે આદેશ હેઠળ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેને રજૂ કરવાનો આદેશ આપવામાં આવે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
