ભાજપ સરકારે ગુજરાતના માથેથી 'કર્ફ્યૂ કૅપિટલ'નું લેબલ હઠાવ્યું - અમિત શાહ TOP NEWS
ભાજપ સરકારે ગુજરાતના માથેથી 'કર્ફ્યૂ કૅપિટલ'નું લેબલ હઠાવ્યું - અમિત શાહ TOP NEWS
ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'ગુજરાતની સુરક્ષિત રાજ્ય'ની છબિનું શ્રેય ભાજપ સરકારને આપ્યું હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યાંથી માંડીને આજ સુધીની ભાજપની સરકારોમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનો પણ દાવો તેમણે કર્યો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદ જિલ્લાના છ નવા પોલીસસ્ટેશનના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે આ અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ભાજપની સરકારે ગુજરાતના માથેથી 'કર્ફ્યુ કૅપિટલ'નું ટૅગ હઠાવી 'સુરક્ષિત રાજ્ય' બનાવ્યું છે.
તેમણે કહ્યું, "એક સમય હતો, જ્યારે ગુજરાત કર્ફ્યુ કૅપિટલ તરીકે ઓળખાતું હતું. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પર કામ કર્યું છે."
તેમણે એવું પણ કહ્યું કે "હવે રાજ્યમાં રથયાત્રા વખતે કોમી રમખાણો થતાં નથી અને રાજ્યમાં શાંતિ છે."
- ગુજરાતની નવી સરકારમાંથી જૂના મંત્રીઓને હઠાવવું ભારે પડશે?
- ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 'નો-રિપીટ થિયરી' કેમ અપનાવાઈ? ભાજપને કોની બીક?
મોદી સરકારના નિશાન પર ટીકાકાર, પત્રકાર અને કર્મશીલો
માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું છે કે માનવાધિકાર કાર્યકરો, પત્રકારો અને સરકારના ટીકાકારોને ચૂપ કરાવવા માટે ભારતીય અધિકારીઓ ચોરી અને આર્થિક અનિયમિતતાના આરોપોનો ઉપયોગ કરી રહ્યા છે.
સપ્ટેમ્બર 2021માં સરકારી અધિકારીઓએ શ્રીનગર, દિલ્હી અને મુંબઈમાં ઠેકઠેકાણે છાપા માર્યા હતા. જેમાં પત્રકાર, અભિનેતા અને માનવાધિકાર કાર્યકરોનાં ઘરો પર પણ છાપા માર્યા હતા.
હ્યુમન રાઇટ્સ વૉચનું કહવું છે કે છાપા મારવાનો આ ક્રમ રાજકીય દૃષ્ટિએ પ્રેરિત છે.
તેમનું કહેવું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી, એ પછી શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા લોકો પર અને અભિવ્યક્તિની આઝાદીની વાત કરનારા લોકો પર કરાઈ રહેલી કાર્યવાહીના ભાગરૂપે આ છાપા મારવામાં આવી રહ્યા છે.
- તાલિબાનના નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે કહ્યું 'નથી થયો ઈજાગ્રસ્ત'
- 'કાળા રંગનો બુરખો અફઘાન પોશાક નથી', તાલિબાનનો મહિલાઓ કઈ રીતે વિરોધ કરી રહી છે?
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=m_w7aqKgYbk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો