ભાજપ નેતાઓ, રાજ્ય સરકાર પરષોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ સાથે કરી મંત્રણા
Lok sabha Election 2024 : ગુજરાત ભાજપનાના વડા સીઆર પાટીલે આજે મીડિયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે તેમના આંદોલનને લઈને વાતચીત કરી રહ્યા છે.
ક્ષત્રિય આગેવાનોની સંકલન સમિતિ રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી સામે આંદોલન કરી રહી છે.
પરષોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી બદલ બે વખત માફી માંગી છે. ક્ષત્રિય સમાજે રાજકોટ નજીકના રતનપરમાં 2 લાખથી વધુ લોકોની મોટી રેલી યોજી હતી અને માંગણી કરી હતી કે, ભાજપ રાજકોટની બેઠક માટે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચે. પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે.
આ દરમિયાન, ક્ષત્રિય આંદોલનના આગેવાનો અમદાવાદમાં તેમના સમુદાયની ફેસિલિટી પર એકઠા થયા હતા. બાદમાં તેઓ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગૃહ રાજ્ય મંત્રીને પરષોત્તમ રૂપાલા મુદ્દે વાત કરવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળ્યા હતા. જોકે, સભાના અંતે કોઈ મધ્યમ માર્ગ આવી શક્યો ન હતો. કારણ કે, આંદોલનકારીઓ પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની તેમની એક જ માંગ પર અડગ હતા.

આંદોલનકારીઓએ વિરોધ રેલીઓ યોજવામાં સહકાર આપવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. રાજ્ય સરકારે રેલીઓને મંજૂરી આપી હતી અને જરૂરી વ્યવસ્થા કરી હતી. શિસ્તબદ્ધ રીતે રેલીઓ યોજવા બદલ સરકારે આંદોલનકારીઓની પણ પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા દરખાસ્ત કર્યા પછી પણ કોઈ મધ્યમ માર્ગ આવી શક્યો ન હોવાથી, બેઠકના અંતે, સરકારે આંદોલનકારીઓને જણાવ્યું કે, તેઓ આંદોલનકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓ પાર્ટીના હાઈકમાન્ડ સુધી પહોંચાડશે.
આ સાથે એવું જાણવા મળ્યું છે કે, પરષોત્તમ રૂપાલાએ વાંકાનેર રોયલ કેસરીદેવસિંહ ઝાલા સાથે ચાર્ટર્ડ ફ્લાઇટમાં જયપુરની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે રાજવી પરિવારો સાથે બેઠક યોજી હતી. કેસરીદેવસિંહ પણ ભાજપના રાજ્યસભા સભ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો ગુજરાત બહાર પણ ફેલાયો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી તેમની વ્યક્તિગત અભિવ્યક્તિ હતી. ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. કોટા-બુંદી રાજપૂત સમુદાય તેમનો પોતાનો પરિવાર છે, અને દરેક સારી-ખરાબ પળમાં તે તેમની સાથે રહ્યો છે.
આ દરમિયાન પરષોત્તમ રૂપાલાએ સોમવારે સાંજે મોરબી ખાતે એક સભાને સંબોધિત કરતી વખતે બધાને બીજા દિવસે શાંતિપૂર્ણ રીતે નામાંકન સરઘસમાં જોડાવા અને સરઘસ સમાપ્ત થયા પછી શિસ્તબદ્ધ રીતે સ્થળ છોડવા અપીલ કરી હતી. રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના ઉમેદવારી પત્રક પ્રસંગે આશરે 25,000 લોકો એકઠા થવાની સંભાવના છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
