વડોદરામાં ભાજપી કાર્યકર્તાની હત્યા

કિશોર ગોદાડી જે ભાજપ કોર્પોરેટરના ઘર નજીક પસાર થઇ રહ્યાં હતા ત્યારે તેમના પર કાર લઇને આવેલા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.
હિતેન્દ્ર પટેલ દ્વારા તેમના ઘરે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ માટે યોજેલી બેઠકમાં ભાગ લઇને ગોદાડી પોતાની બાઇક પર પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, આ ગુન્હામાં અમને કેટલાક લોકો પર શંકા છે અમને આશા છે કે અમને ટૂંક સમયમાં કડીઓ મળી જશે.
હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે કવાયદ હાથ ધરી છે. મૃતક વીએચપી અને બજરંગ દળ સાથે અમુક સમય માટે જોડાયેલા હતા. પોલીસે તજવીજ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
