કોંગ્રેસને ચાવાળાથી સમસ્યા, પરંતુ વિકાસની ઉપેક્ષા ન કરે: મોદી
રાજકોટ, 18 ફેબ્રુઆરી: રાજકોટ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સોમવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર નર્મદા સરોવર બંધ પર ગેટ લગાવવાને લઇને રાજ્ય દ્વારા વારંવાર કરવામાં આવતી માંગની ઉપેક્ષા કરી રહી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'પંડિત જવાહરલાલ નહેરુએ પરિયોજનાની આધારશિખા રાખી હતી, ત્યારથી 40 વર્ષ વિતી ગયા, રાજ્ય હજુ પણ નર્મદા બંધ પર ગેટ લગાવવાને લઇને સંઘર્ષ કરી રહ્યું છે અને તેનું કારણ કેન્દ્રની કોંગ્રેસ સરકારનો અસહયોગ છે.' 'તે 10,000 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ પ્રોજેક્ટની આધારશિલા રાખ્યા બાદ ખેડુતોની રેલીને સંબોધિત કરી રહ્યાં હતા. આ પ્રોજેક્ટથી નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 115 બંધો અને જળાશયોમાં પહોચશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સરેરાશ ઓછામાં ઓછો વરસાદ થાય છે અહીં પાણીની અછત વર્ષભર રહે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'હું વડાપ્રધાન મનમોહન સિંહને ઘણીવાર મળ્યો અને દરવાજો લગાવવાની પરવાનગી માંગી પરંતુ તેમનો જવાબ ઠંડો રહ્યો... જેથી અમે બધા નારાજ છીએ.' તેમણે કહ્યું હતું કે નર્મદાનું લગભગ 60 ટકા પાણી બરબાદ થાય છે કારણ કે બંધનું કામ અધુરૂ છે. આપણે દરવાજો લગાવીને આ પાણીને બચાવી શકીએ.'

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને ચાવાળાથી સમસ્યા છે, પરંતુ રાજકારણને પોતાની જગ્યાએ રહેવું જોઇએ તથા કોંગ્રેસને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોની આકાંક્ષાઓ કચડવી ન જોઇએ.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આપણી પાસે અર્થશાસ્ત્રી વડાપ્રધાન અને જ્ઞાનવાન નાણામંત્રી છે, પરંતુ કૃષિના ક્ષેત્રમાં દેશનો વૃદ્ધિ દર 2થી 3 ટકા પર અટક્યો છે જ્યારે પાણીના સંકટનો સામનો કરી રહેલ ગુજરાતે 10 ટકા વૃદ્ધિ દર પ્રાપ્ત કર્યો છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
