ચૈતર વસાવાને નથી જોઇતું સમર્થન, હું નહીં કરું ભરૂચમાં પ્રચાર
Lok sabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચેના ગઠબંધનના ભાગરૂપે AAPના ઉમેદવાર ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વર્ગીય અહેમદ પટેલનું વર્ચસ્વ હતું. જોકે, તેમના મૃત્યુ પછી માંગ ઉઠી કે, આ બેઠક તેમના પરિવારને જવી જોઈએ.
ગઠબંધન મુજબ AAPએ આ બેઠક પરથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ મારો સમર્થન માંગ્યો નથી. તેથી હું તમારા માટે ભરૂચમાં પ્રચાર નહીં કરું.

બીજી તરફ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ માટે સુરતમાં પ્રચાર કરી રહેલા મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી. તેથી હું ભરૂચમાં પ્રચાર નહીં કરું. મને પ્રચાર માટે બોલાવવામાં આવ્યો નથી. હવે હું માત્ર કોંગ્રેસ છું. હું ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છું. દુઃખની વાત એ છે કે, ભરૂચ બેઠક પરથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી.












Click it and Unblock the Notifications
