રાજ્યમાં વધતા જતા કોરોના કેસો વચ્ચે મુખ્યમંત્રી પણ થયા કોરોનાગ્રસ્ત
રાજ્યમાં સતત કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમા સરકારી અધિકીરઓથી લઇને મંત્રીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. મુખ્યસચિવ પંકજકુમારથી લઇને રૂષિકેશ પટેલ પણ કોરોના પોઝિટવ થઇ ચૂક્યા છે. રૂષિકેશ પટેલ આજે કોરોના મુક્ત થઇને કામ પર
રાજ્યમાં સતત કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમા સરકારી અધિકીરઓથી લઇને મંત્રીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. મુખ્યસચિવ પંકજકુમારથી લઇને રૂષિકેશ પટેલ પણ કોરોના પોઝિટવ થઇ ચૂક્યા છે. રૂષિકેશ પટેલ આજે કોરોના મુક્ત થઇને કામ પર પરત પણ ફર્યા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કોરોના પોઝિટ આવ્યા હતા. મુખ્યમંત્રીને કોરોનાના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા પોતાના નિવાસાસ્થાને આઇસોલેટ થયા છે.
રાજ્યમાં અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાનથજીની રથયાત્રા વખતે કરવામાં આવતી પહિંદ વિધિમાં પણ તે હાજર નહી રહી શકે. દર વર્ષે પહિંદ વિધિ મુખ્યમંત્રીના હાથ થાય છે. પરંતુ આ વખતે પહિંદ વિધિ મુખ્યમંત્રીની જગ્યાએ કોઇ મંત્રી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ગુજરાતમાં 5 મહિના બાદ ચૂંટણી યોજાવા જઇ રહી છે આ પહેલા સરકાર દ્વારા વિવિધ પ્રકારની ખાત મૂહુર્ત અને લોકાર્ફણના કામો પૂરજોશમાં થઇ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત થતા તમામ કામો અટકી પડશે.