અમરેલીના રાજુલાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ

અમરેલીના રાજુલા તાલુકાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ થઈ હોવાની ઘટના સામે આવી છે.

રાજ્યમાં લૉકડાઉનમાં પણ ગુનાખોરીના કેસો સામે આવી રહ્યા છે. બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં બની છે. અમરેલીના રાજુલા તાલુકાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

amreli

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઉઘરાણીને લઈને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં દુકાનદાર પર કેટલાક લોકોએ પાઈપો અને ધોકાથી હુમલો કરી દીધો હતો. બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલિસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતો. પોલિસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X