ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’ માટે ₹5576 કરોડ ફાળવ્યા

ગાંધીનગર: PM નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને 'વિકસિત ગુજરાત'ના માર્ગે સાકાર કરવા માટે CM ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને ઇમારત વિભાગના કુલ 124 કામો માટે ₹7737 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. આ નિર્ણય દ્વારા રાજ્યના રોડ નેટવર્કને વધુ મજબૂત, સલામત અને ઝડપી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

CM Bhupendra Patel

ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે ₹5576 કરોડ

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવવા પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત, ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ પર 'ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' વિકસાવવા માટે નીચેના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે ₹5576 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે:

રૂટનું નામ - લંબાઈ (કિ.મી.)- મંજૂર રકમ (કરોડમાં)
બગોદરા - ધંધુકા - બરવાળા - બોટાદ - 92.23 - ₹67.43
બોટાદ - ઢસા - ચાવંડ - અમરેલી - બગસરા - બિલખા - મેંદરડા - 67.30 - ₹158.60
મેંદરડા - કેશોદ - માંગરોળ - 48.55 - ₹81.38
ઊંઝા - પાટણ - શિહોરી - દિયોદર - ભાભર - 105.05 - ₹858.39
કરજણ - ડભોઇ - બોડેલી - 71.10 - ₹331.16
દહેગામ - બાયડ - લુણાવાડા - સંતરામપુર - ઝાલોદ - 167.54 - ₹1514.41
અમદાવાદ - હરસોલ - ગાંભોઈ - વિજયનગર - 143.30 - ₹640.30
સંતરામપુર - મોરવા હડફ - સંતરોડ - 49.90 - ₹861.71
સંતરોડ - દેવગઢ બારિયા - છોટા ઉદેપુર - 64.05 - ₹1062.82
કુલ - 809 કિ.મી. - ₹5576 કરોડ

નવા કોરિડોરથી થનારા લાભ

આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યમાં પરિવહન વધુ ઝડપી બનશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધરશે અને પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉપરાંત, આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને પ્રવાસનને પણ વેગ મળશે.

ક્લાઇમેટ રેઝિલિયેન્ટ માર્ગો માટે ₹1147 કરોડ

CMએ રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયેન્ટ (આબોહવા પરિવર્તન સહન કરી શકે તેવા) અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે ₹1147 કરોડ મંજૂર કર્યા છે. આ રકમ હેઠળ 271 કિ.મી. લંબાઈના 20 કામો હાથ ધરવામાં આવશે.

આ માર્ગોના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, ફ્લાય-એશ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ જેવી નવતર ટેકનોલોજીનો ઉપયોગ થશે, જેનાથી માર્ગો વધુ ટકાઉ, મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનશે.

આ ઉપરાંત, રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 803 કિ.મી. લંબાઈના 79 કામો માટે પણ ₹986 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

CMના આ નિર્ણયો PM નરેન્દ્ર મોદીના 'જે કહેવું તે કરવું'ના સંકલ્પને સાકાર કરીને રાજ્યના નાગરિકોને 'ઇઝ ઑફ લિવિંગ' પ્રદાન કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X