મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પૉઝિટીવ, સંપર્કમાં આવેલ સાંસદ પણ પૉઝિટીવ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.
અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક જાહેર સભા દરમિયાન વડોદરામાં તેમનુ બ્લડ પ્રેશર લો થઈ જતા તેમને ચક્કર આવી જતા તેઓ પડી ગયા હતા. મોડી રાતે તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમના બ્લડ ટેસ્ટ તેમજ અન્ય રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે સવારે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. જો કે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવ્યા મુજબ તેમની હાલત સ્થિર છે.
હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ હેલ્થ બુલેટીન મુજબ તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને તેમની સ્થિતિ સ્થિર છે પરંતુ હવે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 14 દિવસ સુધી પ્રચાર નહિ કરી શકે. વળી, સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલ સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયાનો રિપોર્ટ પણ પૉઝિટીવ આવતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે ભાષણ આપતી વખતે સ્ટેજ પર જ બેભાન થઈ પડી ગયા. તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર કરવા વડોદરાના નિજામપુરા પહોંચ્યા હતા. અહીં થયેલી એક સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં નીચે પડી ગયા હતા. જે બાદ તેમનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો. તબીબોએ રૂપાણીને સ્ટેજ પર જ ફર્સ્ટ એડ આપી. જે બાદ ખુદ સીડીઓ ચઢીને નીચે ઉતર્યા.
રેલીમાં ચક્કર આવતાં પડી ગયા વિજય રૂપાણી, મોદીએ આરામ કરવાની સલાહ આપી