Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સચિનને મોંઘો પડ્યો ગીર અભ્યારણનો પ્રવાસ, ફરિયાદ દાખલ

જૂનાગઢ, 3 એપ્રિલ: સચિન તેંડુલકરની ગુજરાતના સિંહ અભ્યારણનો પ્રવાસ વિવાદોમાં ઘેરાઇ ગયો. ચૂંટણી કમિશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સચિન તેંડુલકરની સાથે અભ્યારણની મુલાકાઅ કરાવનાર વન વિભાગના અધિકારીઓ પર આદર્શ આચાર સંહિતાના ભંગને લઇને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

જૂનાગઢના આરટીઆઇ કાર્યકર્તા સંઘે આજે રાજ્ય ચૂંટણી કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરીને 22 માર્ચના રોજ સચિન તેંડુલકરની સાથે ગયેલા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. સંઘે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે 'વન વિભાગના તે આધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જે સચિન તેંડુલકર અને તેમાના પરિવાર સાથે ગીર સિંહ અભ્યારણના પ્રવાસ દરમિયાન તેમની સાથે હતા. આમ કરીને તેમને આચાર સંહિતાનો ભંગ કર્યો છે.'

sachin-tendulkar-gujarat-04

આ ફરિયાદ વન વિભાગના બે અધિકારીઓ આર એલ મીણા અને સંદીપ કુમાર વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે, 'તે સરકારી વાહનોનો કાફલો લઇને ત્યાં ગયા અને તેમણે અભ્યારણમાં વધુ સમય વિતાવ્યો. આ મુજબ તેમણે આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.'

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને પીઠાસીન અધિકારી આલોક કુમાર પાંડેએ કહ્યું હતું કે આ મુદ્દે ફરિયાદ મળી છે. તેંડુલકરની સાથે જનાર વન વિભાગના અધિકારીઓને ચૂંટણીમાં ડ્યૂટી આપવામાં આવી ન હતી.' સચિન તેંડુલકર, તેમની પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન તથા તેમના પરિવારના કેટલાક મિત્રો 22 માર્ચના રોજ ગીર સિંહ અભ્યારણ ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X