PM મોદીના ભાષણના વીડિયો સાથે છેડછાડને લઈને સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય સંબોધનમાં સ્વર્ગસ્થ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને સંભવિત રૂપે વોટ્સએપ પર આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અહેવાલો અનુસાર, કેટલાક લોકોએ પીએમ મોદીના વીડિયો સાથે છેડછાડ કરીને વાયરલ કર્યો હતો. હવે આ મુદ્દે ફરિયાદ દાખલ કરાઈ છે.
હિરેન જાદવે અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફેસબુક અને યુટ્યુબ યુઝર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆરમાં ફેસબુક યુઝર સોલંકી કૌશિક ભાઈ અને યુટ્યુબ ચેનલ એસજે ક્રિએશનનો ઉલ્લેખ છે. પોલીસે આરોપીઓ સામે IPC કલમ 153A, 469 અને 505 હેઠળ ગુનો નોંધ્યો છે.












Click it and Unblock the Notifications
