દલિત વિદ્યાર્થીના મોતથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળ વ્યથિત, CM ગેહલોતને મોકલ્યું રાજીનામું
બારાં અટરૂ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.
બારાં અટરૂ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને આપેલા તેમના રાજીનામાના પત્રમાં ધારાસભ્યએ જાલૌરમાં શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીના મોતથી પોતાને દુઃખી ગણાવ્યા છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે જેમના માટે બંધારણમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરી હતી, તે દલિત અને વંચિત વર્ગનું રક્ષણ કરવા માટે આજે કોઈ નથી.
પત્રમાં આ લખીને પાનાચંદ મેઘવાળે કોંગ્રેસ સરકારને વિવાદોમાં ઘેરી છે. પોતાના રાજીનામા પત્રમાં પાનાચંદે લખ્યું છે કે, મારા સમાજના લોકો જે પાર્ટી સાથે મળીને કામ કર્યું તેની વિચારધારાથી નારાજ અને લાચાર છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ કોઈ બાળકને માટલાને સ્પર્શ કરવા બદલ શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે, તો ક્યાંક તેને ઘોડા પર ચઢવા બદલ ઠપકો આપવામાં આવે છે. ન્યાયના નામે ફાઇલો અહીંથી ત્યાં ખસેડવામાં આવે છે અને બાદમાં એફઆર સુધી મૂકવામાં આવે છે.
પત્રમાં આ વાત પણ લખી
પાનાચંદ મેઘવાળે રાજીનામું આપીને મુખ્યમંત્રી અશોક ગેહલોતને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે, મારા દ્વારા અનેક વખત વિધાનસભામાં દલિત અને વંચિત વર્ગ માટે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. આજે પણ સમાજમાં અસ્પૃશ્યતા એટલી હદે પ્રબળ છે કે, દલિત વર્ગને લાગે છે કે, આ સમાજમાં જન્મીને તેમણે ભૂલ કરી છે. જો આ બધું જોઈને પણ આપણે આપણા દલિત અને વંચિત વર્ગ માટે કંઈ કરી શકતા નથી તો આપણને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.