કોંગ્રેસે ગેમિંગ ઝોન અગ્નિકાંડ અંગે ઉઠાવ્યા સવાલ, તાપાસ અંગે બેદરકાર છે સરકાર
Rajkot TRP Game Zone Tragedy: રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં માસુમ બાળકો સહિત બે ડઝનથી વધુ લોકોના મોતને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર ગેમિંગ ઝોન આગની તપાસના નામે માત્ર નાના અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરી રહી છે.
કોંગ્રસ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત સંબંધિત મોટી વહીવટી નિષ્ફળતાને અવગણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે અકસ્માતમાં મૃતકોના પરિજનોને પૂરતું વળતર આપવાની પણ માંગ કરી છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારમાંથી બ્રેક લઈને રાજકોટ અકસ્માતના પીડિત પરિવારોને મળવા અને તેમના દર્દને વહેંચવાની સલાહ પણ આપી છે.
સરકારનું વલણ ગંભીર નથી - ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પાર્ટી હેડક્વાર્ટર ખાતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઘટના સ્થળની મુલાકાત લેતા રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ માત્ર નાના અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તપાસનો વિસ્તાર મર્યાદિત કરી રહ્યા છે. તેનું વલણ ગંભીર નથી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભીંસમાં મૂકતાં તેમણે જણાવ્યું હતું કે, ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી, અલગ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો અને રહેણાંક વિસ્તારોથી અંતર જેવા સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. લોકોના જાન-માલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે.
અગાઉ પણ ઘટનાઓ બની છે - શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમિંગ ઝોનની ઘટના આવો પહેલો અકસ્માત નથી. કારણ કે, સુરતની એક શૈક્ષણિક સંસ્થામાં 22 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. તેવી જ રીતે વડોદરામાં બોટ પલટી જતાં 14 બાળકોના જીવ ગયા હતા. પરંતુ, આ કેસોમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે, બનાસકાંઠામાં પુલ ધરાશાયી થવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બાદ બ્રિજ બનાવનારી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ ભાજપને ચૂંટણી ફંડ આપતાની સાથે જ તેને ફરીથી બાંધકામનું કામ મળી ગયું હતું.
તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાત સરકારમાં સારા અધિકારીઓની અવગણના કરીને ખુશામતખોર અધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું છે. રાજકોટ જેવા અકસ્માતો તેનું પરિણામ છે. લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે.
ગેમ ઝોનના અન્ય ભાગીદારની ધરપકડ - ગુજરાત પોલીસે રાજકોટ સ્થિત TRP ગેમ ઝોનના અન્ય એક ભાગીદારની ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે ત્યાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા.
બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ એજન્સીને જણાવ્યું કે, ધવલ કોર્પોરેશનના માલિક ધવલ ઠક્કરને પડોશી રાજસ્થાનના આબુ રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે રેસવે એન્ટરપ્રાઇઝિસમાં પાંચ ભાગીદારો સાથે TRP ગેમ ઝોન ચલાવ્યો હતો.
આ સાથે શનિવારના રોજ બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પોલીસે રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ અને ગેમ ઝોનના મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
