ગુજરાતમાં 1 દિવસમાં કોરોનાના 92 નવા કેસ નોંધાયા, 5 જિલ્લા રેડ ઝોનમાં

ગુજરાતમાં 1 દિવસમાં કોરોનાના 92 નવા કેસ નોંધાયા, 5 જિલ્લા રેડ ઝોનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોના મામલા 1 હજારને પાર કરી ચૂક્યા છે. શુક્રવારે અહીં 92 નવા દર્દીની પુષ્ટિ થઈ છે. કુલ 1021 સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં 74 દર્દી ઠીક થઈ ચૂક્યા છે, જ્યારે 38ના મોત થઈ ચૂક્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી આજે આ જાણકારી આપવામા આવી છે.

ગુજરાતના 5 જિલ્લા રેડ ઝોનમાં સામેલ

ગુજરાતના 5 જિલ્લા રેડ ઝોનમાં સામેલ

રાજ્યના પાંચ જિલ્લાને કેન્દ્ર સરકારે હૉટસ્પૉટ ઝોન ઘોષિત કરી રેડ ઝોનમાં સામેલ કરી લીધા છે. પાટણ જિલ્લાને ક્લસ્ટર ઘોષિત કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય 14 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ છે. જે પાંચ જિલ્લાને રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે ત્યાં અત્યાર સુધીમાં 30 સંક્રમિતોના મોત થઈ ચૂક્યાં છે.

અમદાવાદથી કોરોનાના સૌથી વધુ 450 કેસ

અમદાવાદથી કોરોનાના સૌથી વધુ 450 કેસ

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ મામલા અમદાવાદથી સામે આવ્યા છે. કોરોાથી મૃત્યુ પામનાર લોકોમાં પણ અમદાવાદ આગળ છે. એકલા અમદાવાદમાંથી જ 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં કુલ 450થી પણ વધુ મામલા આવી ચૂક્યા છે. અમદાવાદ સહિત ગુજરાતના 5 શહેરોને હૉટ સ્પૉટ ઘોષિત કરી તેમને રેડ ઝોનમાં ઉમેરી લેવામાં આવ્યા છે.

આ જિલ્લાઓમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સૌથી વધુ

આ જિલ્લાઓમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સૌથી વધુ

સ્વાસ્થ્ય વિબાગ તરફથી જણાવવામાં આવ્યું કે, ગુજરાતમાં અમદાવાદ બાદ વડોદરા સૌથી પ્રભાવિત જિલ્લો છે. વડોદરામાં 127, સરતમાં 86, રાજકોટમાં 27 તથા ભાવનગરમાં 26 લોકો કોરોના પોઝિટિવ છે. અમદાવાદમાં ખાડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ કોરોના ગ્રસ્ત છે. બધાનો સરદાર પટેલ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

કયા જિલ્લામાં કેટલાં મોત?

કયા જિલ્લામાં કેટલાં મોત?

અમદાવાદ સિવાય સુરત અને વડોદરામાં 4-4 મોત થયાં છે જ્યારે ભાવનગરમાં 3 મોત થયાં છે. રાજ્યના જે જિલ્લાઓમાં 1-1 મોત થયાં છે, તેમાં પાટણ, પંચમહાલ, જામનગર અને ગાંધીનગર છે. ભારત સરકારના પોર્ટલ mohfw.gov.in અને covid19india.orgથી મળેલી જાણકારી મુજબ રાજ્યમાં દરરોજ સરેરાશ 100 નવા દર્દી મળી રહ્યા છે. જ્યારે ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ મુજબ બુધવારે અહીં વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓએ દમ તોડી દીધો છે.

બુધવારે 5 મહિલાઓએ દમ તોડ્યો

બુધવારે 5 મહિલાઓએ દમ તોડ્યો

બુધવારે જે મહિલાઓના મોત થયા છે તેમાં એક વૃદ્ધાને ડાયાબિટીજ અને ફેફસાંની બીમારી હતી. યૂએન મેહતા હોસ્પિટલમાં તેનું મોત થયું. જ્યારે 55 વર્ષીય પ્રૌઢ મહિલાને હ્રદયની બીમારી હતી. તેનું મોત એસવીપી હોસ્પિટલમાં થયું. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાએ અંતિમ શ્વાસ લીધા.

14 વર્ષની કિશોરીનું પણ મોત

14 વર્ષની કિશોરીનું પણ મોત

વડોદરામાં 14 વર્ષની કિશોરીનું મોત થયું છે. સાયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં તેનો જીવ ગયો છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, તેને મસ્તિષ્કની બીમારી હતી. જ્યારે 45 વર્ષીય મહિલાએ સુરતના એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ મહિલાને હાયપરટેન્શનની બીમારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X