વિકસીત ભારત સંકલ્પ રથ થકી મળ્યું આયુષ્યમાન કાર્ડનું કવચ
Viksit Sankalp Yatra: વિકસીત ભારત સંકલ્પ યાત્રા પાલીતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે આવી પહોંચતા સ્થળ પરના લાભાર્થી ભુપતભાઈ બાથાણીને આયુષ્યમાન કાર્ડ મળ્યું હતું.
આ તકે ભુપતભાઈ બાથાણીએ જણાવ્યું હતું કે, વિકસીત ભારત સંકલ્પ યાત્રા એમના ગામ બહાદુરગઢ આવતા એમને ઘર આંગણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયું હતું, આથી એમને હવે આરોગ્ય પ્રત્યેની ચિંતા માંથી મુક્તિ મળી છે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી કેન્દ્ર સરકારની પાંચ લાખ અને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ એમ કુલ દસ લાખનું સુરક્ષા કવચ મળે છે.
ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બરના રોજ CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરના આદિવાસી બહુલ દાંતા તાલુકામાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
