ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલના 2 વર્ષ પૂર્ણ, એફબી લાઈવ પર 52 હજાર લોકોએ સંભાળ્યા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને નિમણૂંક થયાને બે વર્ષ પૂર્ણ થતા કાર્યકરતા દ્વારા પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કરવામા આવ્યું હતુ. આ સાથે પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી તેમજ સમગ્ર રાજ્યમાંથી ભાજપના પ્રદેશ પદ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને નિમણૂંક થયાને બે વર્ષ પૂર્ણ થતા કાર્યકરતા દ્વારા પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કરવામા આવ્યું હતુ. આ સાથે પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી તેમજ સમગ્ર રાજ્યમાંથી ભાજપના પ્રદેશ પદાધિકારીઓ મોરચાના પ્રદેશ હોદ્દેદારો વિવિધ સેલના પ્રદેશ સંયોજકો પણ ખાસ ઉપસ્થિત રહીને સી.આર પાટીલને તેમની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ટેક્નોસેવી હોવાથી ભાજપના કાર્યકર્તા પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે. તેથી જ સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓને એક્ટીવ રહેવા કહેવામાં આવતુ હોય છે. આજે ભાજપ અધ્યક્ષના બે વર્ષ પૂર્ણ થતા તેમના દ્વારા કરવામાં આવેલા સંબોધનને 52 હજરા લોકોએ ફેસબૂક પેજ પર લાઇવ નિહાળ્યા હતા. આ સાથે જ હાર્દિક પટેલના સૂરત ખાતેની સભાના 37 હાજરના ફેસબુક લાઇવના રેકોર્ડને સી.આર.પાટીલે તોડી નાખ્યો હતો.
ગુજરાત વિધાનનસભા ચૂંટણી વર્ષના અંતે યોજાવા જઇ રહી છે. જેમા સી.આર પાટીલ દ્વારા 182 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. પોતાના લક્ષ્ય સાથે આગળ વધતા તેમના દ્વારા કોગ્રેસના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપમાં જોડીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે.
સી.આર પાટીલે જણાવ્યું હતુ કે, દેશવાસીઓની અપેક્ષાથી અનેક ગણો વિકાસ હાસલ કરનાર દિર્ઘ દ્રષ્ટા નરેન્દ્ર મોદી મજબૂત કરવા કાર્ય કરવાનું છે. એક દમ જીવંત અને સક્રિયાતા ભાજપની સાચી તાકાત છે. ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી સરકારની કામગીર પસંદ કરતા હોવાથી કાર્યકર્તાની જવાબદારી વધી જાય છે. જન સુખાકારી સાથે વિકાસ માંગતા લોકોની અપેક્ષા કાર્યકર્તાને સંતોષવાની છે. ભાજપના કાર્યકર્તા સાથે તેમણે ખુલીને ચર્ચા કરી હતી.
સી.આર પાટીલ દ્વારા 182ના લક્ષ્યને પાર પાડવા માટે પેજ સમિતિથી લઇને ટેક્નોલોજીના માધ્યથી પક્ષને મજબૂત કરીને કાર્યકર્તાઓને સતત કાર્યરત રાખીને પાર્ટીને ચેતનવંતી રાખી છે. બુથ કક્ષા સુધી પોતાની વાત પહોચાડવા માટે "વન ડે વન ડિસ્ટ્રીક્ટ"નો કાર્યક્રમ આપીને રાજ્યના તમામ જિલ્લામાં જઇને 182 વિધાનસભાની બેઠકોને આવરી લઇને પ્રચારની બાગદોર પોતાના હાથમાં લીધા છે.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ટેક્નોસેવી હોવાથી ભાજપના કાર્યકર્તા પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે. તેથી જ સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓને એક્ટીવ રહેવા કહેવામાં આવતુ હોય છે. આજે ભાજપ અધ્યક્ષના બે વર્ષ પૂર્ણ થતા તેમના દ્વારા કરવામાં આવેલા સંબોધનને 52 હજરા લોકોએ ફેસબૂક પેજ પર નિહાળ્યા હતા.












Click it and Unblock the Notifications
