ગુજરાત: દલિતો પર 4 વર્ષમાં રેપ-હત્યા અને ઘર સળગાવાના કેસો 35% વધ્યા
દલિતો વિરુદ્ધ ગુના સંબંધિત બાબતો પર નિયંત્રણ મેળવવા માટે દેશમાં ઘણા કાયદા અને સંસ્થાઓ છે. પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને યુપી જેવા રાજ્યોમાં, આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે.
દલિતો વિરુદ્ધ ગુના સંબંધિત બાબતો પર નિયંત્રણ મેળવવા માટે દેશમાં ઘણા કાયદા અને સંસ્થાઓ છે. પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને યુપી જેવા રાજ્યોમાં, આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ગુજરાત વિશે વાત કરીએ તો, ગયા વર્ષે જ પોલીસ સ્ટેશનોમાં દલિતો સામે અત્યાચાર સંબંધિત 1545 કેસ નોંધાયા હતા. માત્ર એટલું જ નહીં, છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ જોઈએ તો અહીં દલિતો સાથે મારપીટ, દુષ્કર્મ, હત્યા અને ઘરમાં આગ લગાવવાના કેસોમાં 35% વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR
ગુજરાતમાં 4 વર્ષમાં દલિત હિંસાના કેસોમાં 35% નો વધારો
આરટીઆઈ દ્વારા મેળવેલા આંકડાઓ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ગૃહરાજ્યમાં ઉચ્ચ જાતિના લોકો દ્વારા દલિત જાતિના લોકો સામે હિંસાને ભારે પ્રોત્સાહન આપ્યું છે. 2018 માં નોંધાયેલા દોઢ હજાર કેસોમાં, 22 હત્યાના, 81 મારપીટના, 7 ઘરોમાં આગ લગાવવા માટે અને 104 કેસો દુષ્કર્મના હતા. આ જ રીતે વર્ષ 2014 માં કુલ 1,122 કેસ નોંધાયા હતા. દલિત-અત્યાચાર સાથે સંકળાયેલા મોટાભાગના કેસો કચ્છ, મહેસાણા જિલ્લાઓમાં દેખાયા હતા.
એક વર્ષમાં અમદાવાદમાં 140 કેસ નોંધાયા
દલિત સંગઠનોનું કહેવું છે કે ગુજરાતમાં દલિત અત્યાચારના કેસમાં સજાનો દર માત્ર 3% જ હોવાના કારણે ઘટનાઓ વધી રહી છે. જોકે રાજકારણીઓ સ્પષ્ટપણે કહે છે કે આવી ઘટનાઓને સહન કરવામાં આવશે નહીં, પરંતુ પોલીસ આરોપીઓ સામે કડક પગલાં લઈ શકતી નથી. એકલા અમદાવાદમાં જ એક વર્ષમાં દલિત હિંસાના કિસ્સામાં 140 બનાવોના કેસ નોંધાયા છે. જેમાંથી 5 હત્યાઓ અને 8 દુષ્કર્મના કેસ હતા.
ગામના 30 દલિતો પોલીસ-સુરક્ષામાં રહે છે
ગુજરાત પોલીસની એસસી-એસટી સેલ અનુસાર, રાજ્યમાં 30 ગામો એવા છે જ્યાં રહેતા દલિતોને સુરક્ષા આપવામાં આવી છે. જેમાં 20 ગામો માત્ર સૌરાષ્ટ્ર પ્રદેશના છે.