For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR

ગુજરાતના અરવલ્લી જીલ્લામાં દલિતના લગ્નમાં દખલ કરવા આવેલા પટેલ સમુદાયના ઘણા લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના અરવલ્લી જીલ્લામાં દલિતના લગ્નમાં દખલ કરવા આવેલા પટેલ સમુદાયના ઘણા લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 16 મહિલા સહિત 45 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આવી ત્યારે, આરોપી લોકો ઘટનાસ્થળ છોડી ભાગવા લાગ્યા. તે જ સમયે, વર પક્ષે પોલીસને તેમની સાથે થયેલી આપવીતી જણાવી. વર પક્ષ અનુસાર, પટેલ સમુદાયના લોકો દ્વારા રસ્તાની નાકાબંધી કરી ઘોડી પર ચઢવાનો રિવાજ રોકવામાં આવી રહ્યો હતો. તે લોકો દલિતો ઉપર હુમલો કરવા આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: દલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી

ઝગડામાં હિંસક બની ભીડ, બંધ રાખવા પડ્યા લગ્ન

ઝગડામાં હિંસક બની ભીડ, બંધ રાખવા પડ્યા લગ્ન

માહિતી અનુસાર, જયેશ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવકના લગ્નને રોકવા માટે પટેલ સમુદાયના લોકોએ પથ્થર મારો કર્યો. બધા આરોપીઓ રસ્તા પર બેસી ગયા હતા અને હવન-કુંડ બનાવી અને 'ભજન-કીર્તન' કરવા લાગ્યા. તે પછી બંને સમુદાયો વચ્ચે ઝગડો થયો. જેમાં ગુસ્સે ભરાયેલી ભીડ દ્વારા પોલીસ વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું. આખરે લગ્ન બંધ રાખવામાં પડ્યા. અરવલ્લી પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ મયુર પાટિલે કહ્યું કે વરરાજાના પિતાએ ફરિયાદ નોંધાવી છે, ત્યાર બાદ અમે એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

4 મેના રોજ પોલીસ સુરક્ષા માંગી હતી, છતાં પણ થઇ ગયો દંગો

4 મેના રોજ પોલીસ સુરક્ષા માંગી હતી, છતાં પણ થઇ ગયો દંગો

પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે કાર્યવાહીના ડરથી ઘણા આરોપીઓ બે કે ત્રણ દિવસ પહેલા જ ગામ છોડીને ભાગી ગયા હતા. વરરાજાના પિતાએ ફરિયાદ કરી હતી કે પટેલ સમુદાયના કેટલાક લોકોએ લગ્નના વરઘોડાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે વરરાજા જયેશ રાઠોડને 4 મેના રોજ પોલીસ સુરક્ષા આપવા માટે બાધ્ય કરી લીધા હતા. મારપીટની ઘટનાના એક દિવસ પહેલાં, તેમને અને પટેલ સમુદાયના નેતાઓએ મોડાસા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં મુલાકાત કરી હતી, જ્યાં તે વાત પર સામટી બની હતી કે આ જાનનો વિરોધ કરવામાં આવશે નહીં, પરંતુ પછી દંગો થઇ જ ગયો.

10 દિવસમાં દલિતોના લગ્ન રોકવાની 4 ઘટનાઓ થઇ

10 દિવસમાં દલિતોના લગ્ન રોકવાની 4 ઘટનાઓ થઇ

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ ગામમાં લગ્નના થોડા દિવસ સુરક્ષા માટે આવ્યા હતા. જ્યારે આ જાન પટેલ વિસ્તારમાં પહોંચી ત્યારે, રસ્તાઓ પર કોઇપણ જાણ વગર ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહેલી મહિલાઓને રોકવામાં આવી હતી. અહીં જ દલિત સમુદાયના સભ્યો, પટેલ અને પોલીસ વચ્ચે મારપીટ થઇ હતી. દલિતો સામે આવા બનાવોને ધ્યાનમાં રાખીને, દલિત હકોના જૂથોએ અમદાવાદમાં શનિવારે એક બેઠક બોલાવી છે, જ્યાં દલિત અત્યાચારોને લઈને પ્રદર્શન કરવામાં આવશે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં આવા ચાર બનાવો સામે આવ્યા છે.

English summary
Gujarat: FIR against 45 people for stopping Dalit wedding at Aravalli district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X