બળાત્કાર ન કરી શક્યો તો કરી નાંખી હત્યા, પ્રિન્સિપાલે લજવ્યું સરસ્વતીનું મંદિર
ગુજરાતમાં બળાત્કારના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. બળાત્કારનો કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે, જ્યા એક શાળાના આચાર્યએ શિક્ષાના મંદિરને લજવ્યું હતું. પીડિત છોકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેની સાથે આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર, દાહોદમાં બે દિવસ પહેલા પ્રાથમિક શાળાની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ છોકરી પ્રથમ ધોરણમાં ભણતી હતી. પોલીસે આ અંગે તપાસ કર્યા બાદ શાળાના આચાર્યની ધરપકડ કરી હતી.
શાળાના આચાર્ય દ્વારા બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
જ્યારે બાળકીએ બળાત્કારનો વિરોધ કર્યો તો આચાર્ય દ્વારા તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ બાળકીની લાશને પોતાની કારમાં રાખી દીધી. જે બાદ આચાર્યે બાળકીની લાશ શાળાના પાછળના ભાગમાં ફેંકી હતી. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દાહોદના સીંગવડની તૌરાની પ્રાથમિક શાળાની છે. આ કેસમાં આરોપી પ્રિન્સિપાલની ઓળખ ગોવિંદ નાટ છે. આ બાળકી સીંગવડ તાલુકાના પીપળીયા ગામની રહેવાસી હતી. છોકરી છ વર્ષની હતી.












Click it and Unblock the Notifications
