Custodial Death In Gujarat : રાજ્યમાં પોલીસ સ્ટેશન જ અસુરક્ષિત, કસ્ટોડિયલ ડેથના 189 કેસ નોંધાયા
Custodial Death In Gujarat : રાજ્યમાં ગુનાહિત પ્રવૃતિમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે સાથે કસ્ટોડિલ ડેથના કિસ્સા પણ વધી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કસ્ટોડિયલ ડેથના કુલ 189 કેસ સામે આવ્યા છે.
પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં કસ્ટોડિયલ મૃત્યુની 100 ઘટનાઓ બની હતી, જ્યારે કેલેન્ડર વર્ષ 2022માં આ સંખ્યા 89 હતી.

લેખિત જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા આ 189 કેસોમાંથી 35 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા અને 154 અન્ય લોકો ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા.
ગેરરીતિ કરનારા પોલીસ અધિકારીઓ સામે સરકારે લીધેલી કાર્યવાહી અંગેના પેટા પ્રશ્ન પર, ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલો) નોંધ્યા છે, વિભાગીય પૂછપરછ શરૂ કરી છે, સસ્પેન્શનના આદેશો જાહેર કર્યા છે અને આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારે દરેક મૃતકના નજીકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે.
છેલ્લા 20 વર્ષમાં સમગ્ર દેશમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ આવા 893 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં અલ્તાફના મોતથી ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં થયેલા મોતે ચર્ચા જગાવી છે. છેલ્લા 20 વર્ષમાં સમગ્ર દેશમાં પોલીસ કસ્ટડીમાં 1888 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર 26 પોલીસકર્મીઓ જ દોષી સાબિત થયા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
