Cyclone Biparjoy: શ્રદ્ધાળુઓ માટે આજે બંધ રહેશે દ્વારકાધીશ અને સોમનાથ મંદિર, ઑનલાઈન કરી શકશો દર્શન
Cyclone Biparjoy: ચક્રવાતી તોફાન 'બિપરજોય' ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે દેવભૂમિ દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિરને આજે એટલે કે 15મી જૂને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
દ્વારકાધીશ મંદિરની સાથે આજે દ્વારકાની બજાર પણ બંધ રહેશે. જો કે મંદિરની દિનચર્યા પહેલાની જેમ જ ચાલુ રહેશે. દ્વારકાધીશ મંદિરના પૂજારી મલય પંડ્યાએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન સવારે પૂજા, ભોગ અને આરતી થશે. ભક્તો મંદિરની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન દર્શન કરી શકે છે.

તમને જણાવી દઈએ કે માત્ર દ્વારકાધીશ મંદિર જ નહીં, ગુજરાતના દરિયાકાંઠે આવેલા તમામ અને મંદિરો પણ બંધ રહેશે. સોમનાથ મંદિર અને પાવાગઢ મંદિર પણ બંધ રહેશે. જોકે, દ્વારકાધીશ અને અન્ય મંદિરોમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. સાથે જ મંદિરની વેબસાઈટ પર ભક્તો ઑનલાઈન આરતી જોઈ શકશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર ચક્રવાત બિપરજોયના કારણે ગુજરાતના દ્વારકામાં આવેલા ભાટકેશ્વર મહાદેવ મંદિરની નજીક દરિયામાં તોફાન છે. જ્યારે, ગુજરાતના દ્વારકામાં ગોમતી ઘાટ પર હાઈટાઈડ જોવા મળી રહી છે. અહીં પણ જોરદાર પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
ચક્રવાતી તોફાન 'બિપરજોય' આજે એટલે કે 15 જૂનની રાતે ગુજરાતના જખૌ કાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે તેના કારણે ભારે વિનાશની ચેતવણી આપી છે. સાથે જ કહ્યું કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળ સહિત 9 રાજ્યો માટે આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, VSCS (અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું) 'બિપરજોય' આજે રાત સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને માંડવી અને કરાચી વચ્ચેના પાકિસ્તાનના દરિયાકાંઠે જખૌ બંદર નજીકથી પસાર થશે.
માહિતી આપતાં કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આગાહી મુજબ ચક્રવાતી તોફાન 'બિપરજોય' આજે રાતે 8.30થી 10 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. 47000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 6 NDRF, 3 RPF અને 2 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સેનાને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
દિલ્હી IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત 'બિપરજોય' સૌરાષ્ટ્ર, કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે જખૌથી લગભગ 180 કિમીના અંતરે છે. તેના પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. તે રાત સુધીમાં કિનારે પહોંચી જશે. તે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન છે. આના કારણે વૃક્ષો, નાના મકાનો, માટીના મકાનો, પતરાના મકાનોને નુકશાન થઈ શકે છે.
-
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી










Click it and Unblock the Notifications
