Cyclone Biparjoy : અડધી રાત સુધી ચાલશે લેન્ડફોલ, સવારે બિહામણા દ્રશ્યો જોવા મળી શકે છે
વાવાઝોડા બિપયજોયે દરિયા કિનારે દસ્તક દઈને તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા એક અઠવાડીયાથી શ્વાસ અધ્ધર રાખનારા બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ સાંજે શરૂ થયુ છે અને અડધી રાત સુધી યથાવત રહેશે.
બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયાને લઈને હવામાન વિભાગે અપડેટ આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આ પ્રક્રિયા ગુરુવારે અડધી રાત સુધી ચાલશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ દરમિયાન પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMDના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ કે, બિપરજોય કરાચી અને માંડવી વચ્ચેના દરિયાકાંઠે અને ગુજરાતના જખૌ બંદર આસપાસ ટકરાશે.
બીજી તરફ ગાંધીનગરમાં સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજીને સ્થિતીની સમીક્ષા કરી હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, IMD એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે જણાવ્યુ હતું કે, બિપરજોય ગુરુવાર સાંજ સુધીમાં માંડવી અને કરાચી વચ્ચેના જખૌ બંદર નજીક અને કચ્છ અને પાકિસ્તા












Click it and Unblock the Notifications
